હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જયંતીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી સહિતના હાજર રહેશે


SHARE













ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જયંતીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી સહિતના હાજર રહેશે

મોરબી જિલ્લાના ટંકારાના મહર્ષિ દયાનંદ સરસ્વતીજી કે જેમને દેશ અને દુનિયામાં આઝાદીના ઉદઘોષક, સ્ત્રી ઉદ્ધારક, વેદ ઉદ્વારક, વેદ તરફ પાછા વળો સૂત્રના જનક, પ્રાચીન જીવનશૈલીના પુનઃસ્થાપક તરીકે લોકો જાણે છે ત્યારે ટંકારાના પનોતા પુત્ર મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જયંતીનું ભવ્ય ઉજવણી કરવામાં આવશે ત્યારે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી  સહિતના રાજકીય આગેવાનો સહિતના આર્ય સમાજની સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં હાજર રહેશે

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મ સ્થળ એટલે કે, ટંકારામાં આગામી તા ૧૦ થી ૧૨ સુધી ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમ યોજવાનો છે જેના માટે હાલમાં ટંકારા ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારાની બાજુમાં મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ- ટંકારા અને સ્થાનિય વ્યવસ્થાપક સમિતિ- ટંકારા દ્વારા મંડપ, યજ્ઞ શાળા અને સભા મંડપ તેમજ ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના રાજકીય આગેવાનો તેમજ આર્ય સમાજની સાથે જોડાયેલા અને મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની વિચાર ધારાને વરેલા લોકો મોટી સંખ્યામાં હાજર રહેશે






Latest News