ચોરનો ડર: મોરબીના ખેવારીયા ગામે નવજીવન નગરમાં લોકોને રાતના રાઉન્ડ શરૂ
મોરબીના સિરામિક ઉદ્યોગમાં આઇટીની કલમની જોગવાઈથી ઊભી થનાર મુશ્કેલીને નિવારવા રજૂઆત કરાઇ
SHARE
મોરબીના સિરામિક ઉદ્યોગમાં આઇટીની કલમની જોગવાઈથી ઊભી થનાર મુશ્કેલીને નિવારવા રજૂઆત કરાઇ
ઈન્કમટેક્ષમાં ૧-૦૪-૨૪ થી આવેલ કલમ ૪૩ બી(એચ) કાયદાની જોગવાઈ મુજબ સ્મોલ અને માઈક્રો એન્ટરપ્રાઈઝ પાસેથી ખરીદ માલનુ પેમેન્ટ ૧૫ થી ૪૫ દિવસમા કરવુ ફરજિ્યાત છે જેમા સીરામીક ઉઘોગનુ રો-મટીરીયલ મોટાભાગે સ્મોલ અને માઈક્રો એન્ટરપ્રાઈઝ પાસેથી ખરીદ થતુ હોય છે અને સીરામીક ઉઘોગ મોટાભાગે મીડીયમ એન્ટરપ્રાઈઝમા હોવાથી તેમજ માલનુ વહેચાણ ૧૦૦ થી ૧૨૦ દિવસની ઉઘારીમાં થતુ હોય છે અને ખરીદેલ માલનુ પેમેન્ટ ૪૫ દિવસમા કરવુ મુશ્કેલ હોય છે માટે ઉઘોગ મોટી સમસ્યામા મુકાયેલ તેમ છે જેથી મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન દ્વારા સાસંદ મોહનભાઈ કુંડારીયાની સાથે દિલ્હી ખાતે જઈને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેકટર ટેકસના ચેરમેન તેમજ MSME ના મંત્રી નારાયણ રાણેને રજુઆત કરેલ હતી તેમજ સાસંદ મોહનભાઈ કુંડારીયા દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનનો સમય લઈને કેન્દ્રીય નાણામંત્રીને દિલ્હી ખાતે રુબરુ મળીને મોહનભાઈ કુંડારીયાએ આ બાબતે રજુઆત કરેલ હતી જેમા નાણામંત્રીએ હકારાત્મક અભિગમ દાખવી આ બાબતે યોગ્ય કરવા જણાવેલ છે તેવું મોરબી સીરામીક મેન્યુ. એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, કિરીટભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા તેમજ કમીટી મેમ્બર શામજીભાઈ મેથાણીયા રજુઆત સમયે સાથે રહ્યા હતા