મોરબીના ભક્તિનગર સર્કલ પાસે અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ યુવાનનું મોત
SHARE
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ યુવાનનું મોત
મોરબીમાં સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે કોઈ અજાણી કારના ચાલકે ઠોકર મારતા ઈજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ દાહોદ જિલ્લાના વડવા ગામના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના વીરપર ગામ પાસે આવેલ બાલાજી પેકિંગ નામના કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો પ્રકાશભાઈ ભાવસિંગ રાઠોડ (૨૫) નામનો યુવાન મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે વિરાટ પાવભાજી નજીક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને તે યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતો અને ત્યાં રાત્રિના ૯:૩૦ વાગ્યાના અરસામાં તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના ભાઈ ધવલભાઈ સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, ગઈકાલે કારખાનામાં રજા હોવાથી તેનો ભાઈ મોરબી આવ્યો હતો અને કોઈ અજાણી કારના ચાલાકે તેને હડફેટે લેતા ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેનું મોત નીપજ્યું છે અને અકસ્માતના આ બનાવના કારણે માસુમ બાળકીએ તેના પિતાની છત્રછાયા ગુમાવેલ છે આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી અને હાલમાં મૃતક યુવાનના ભાઈ ધવલભાઈ ભાવસિંગ રાઠોડ (૨૮)ની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની વધુ તપાસ સી.એસ. સોંદરવા ચલાવી રહ્યા છે