મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજે લીધેલા રૂપિયાની કારખાનેદાર પાસેથી પઠાણી ઉઘરાણી: ગુનો નોંધાયો


SHARE















મોરબીમાં વ્યાજે લીધેલા રૂપિયાની કારખાનેદાર પાસેથી પઠાણી ઉઘરાણી: ગુનો નોંધાયો

મોરબી શહેરના પંચાસર રોડ ઉપર જનતા ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા વૃદ્ધે વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજ ચૂકવેલું હતું તેમ છતાં પણ આરોપીએ તેની પાસેથી વધુ પૈસા પડાવવા માટે થઈને બળજબરીપૂર્વક ચેકો તેમજ દસ્તાવેજ લઈ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર જનતા ટાઇલ્સ નામનું કારખાના ધરાવતા અને ત્યાં રહેતા જયંતીલાલ મીઠાભાઈ પરમાર જાતે સતવારા (૬૦) એ હાલમાં રવિભાઈ રાજુભાઈ જીલરીયા રહે.કંડલા બાઇપાસ આનંદનગર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેમણે આરોપી રવિ જીલરીયા પાસેથી અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજે લીધેલ રૂપિયાનું ઊંચું વ્યાજ ચૂકવેલ હતું.છતાં પણ આરોપી દ્વારા તેમની પાસેથી વધુ પૈસા પડાવવા માટે થઈને બળજબરીથી ચેકો લખાવી લેવામાં આવ્યા હતા તેમજ દસ્તાવેજ લઈ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.પીએસઆઇ પી.આર.સોનારા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતાં વૃદ્ધ સારવારમાં

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલા પાણીના ટાંકા પાસે મેલડી માતાના મંદિર નજીક રહેતા રાજાભાઈ પાંચાભાઇ જાદવ નામના ૭૫ વર્ષના વૃદ્ધને તેમના ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજા થતાં તેમના પુત્ર છેલાભાઈ તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા અને અહીંં તેઓને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.આ બનાવ અંગે હોસ્પિટલ ખાતેથી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા બનાવની નોંધ કરીને કયા કારણોસર મારામારીનો બનાવ બન્યો છે..? તે દિશામાં આગળની તપાસ શરૂ કરાયેસ છે.

મારામારીમાં ઇજાગ્રત યુવાન સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ મંગાભાઈ ચૌહાણ નામના ૩૦ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો.મોરબી બી ડિવિઝન પોલીસસુત્રોના જણાવ્યા પ્રમાણે તા.૨-૨ ના મોડી રાત્રીના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં વિસીપરા વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ ભાવેશભાઈ ચૌહાણને જ્યોતિબેન દ્વારા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસ મથકે જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરાઈ છે






Latest News