છેલ્લા ઘણા વર્ષોથી હું આ વિસ્તારમાં અણવર બનીને આવેલ છો, હવે ભાજપે મને વરરાજા બનાવ્યો: પરસોતમ રૂપાલા
SHARE









છેલ્લા ઘણા વર્ષોથી હું આ વિસ્તારમાં અણવર બનીને આવેલ છો, હવે ભાજપે મને વરરાજા બનાવ્યો: પરસોતમ રૂપાલા
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા આજે ટંકારા તાલુકાના જબલપુર ગામે ચૂંટણી પ્રચાર માટે થઈને આવ્યા હતા અને ત્યાં કાર્યકર્તાઓ સાથે મિલનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી હું આ વિસ્તારમાં અણવર તરીકે આવેલો છો, જોકે આ વખતે ભાજપે મને વરરાજા તરીકે રાજકોટ બેઠક ઉપરથી ઉમેદવાર જાહેર કરેલ છે ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે રાજકોટ બેઠક ઉપર કોઈએ કલ્પના ન કરી હોય તેવી જંગ લીડ સાથે ભાજપનો વિજય થશે
લોકસભાની ચૂંટણી હજુ જાહેર થયેલ નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા તેના સત્તાવાર ઉમેદવારો જાહેર કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે તેવામાં રાજકોટ બેઠક માટે થઈને ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે પરસોત્તમભાઈ રૂપાલાનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને તેઓએ છેલ્લા પાંચ દિવસથી તેનો ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે તેવામાં ટંકારા પડધરી બેઠકમાં આવતા જબલપુર ગામે અને લજાઈ ગામે તેઓનું કાર્યકર્તા સંમેલન તેમજ ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પરસોતમભાઈ રૂપાલા ઉપરાંત સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, માજી ધારાસભ્ય બાવનજીભાઈ મેતાલીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા અને આ બંને કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા
ત્યારે પરસોતમભાઈ રૂપાલાએ વર્ષો પહેલા ૧૯૯૧ માં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારના ગુજરાતના દિવસોને યાદ કર્યા હતા અને ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં અને ખેડૂતોને કેટલી મુશ્કેલી હતી તેની વાતનો ઉલ્લેખ કર્યો હતો અને તેની સાથો સાથ છેલ્લા ૨૪ વર્ષ દરમિયાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે કાર્યરત છે તે દરમિયાન તેમણે જે કામગીરી કરેલ છે અને તેના થકી છેવાડાના નાગરિક સુધી જે સુવિધાઓ પહોંચે છે તેને પણ તેઓએ યાદ કરાવી હતી આ ઉપરાંત દેશની અંદર લોકસખાકારી માટેના એક પછી એક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને આગામી ચૂંટણીમાં કચકચાવીને મતદાન કરવા માટે થઈને સૌ કોઈ આગેવાનોને અને કાર્યકર્તાઓને અપીલ કરી હતી અને કહ્યું હતું કે જ્યારે મત પેટીમાંથી મત ખૂલે ત્યારે નરેન્દ્ર મોદી દિલ્હીમાં બેઠા બેઠા બોલે કે "ભાઈ ભાઈ મતદાન" એ પ્રકારનું મતદાન કરાવવાનું છે અંતમાં એવું પણ તેમણે કહ્યું હતું કે છેલ્લા ૨૪ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૦૧ માં જેનો જન્મ થયો છે તે યુવાનોને આજની તારીખે ખબર પણ નહીં હોય કે કરફ્યુ શું કહેવાય કારણ કે છેલ્લા ૨૪ વર્ષની અંદર ગુજરાતમાં કરર્ફ્યુ લાદવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ ક્યારેય થયું નથી જેથી કરીને તે લોકો ૨૦૪૭ ના વિકસિત ભારતને કેન્દ્રસ્થાનમાં નજર સમક્ષ રાખીને મતદાન કરે તો ભવિષ્યમાં તેના મીઠા ફળ તેઓને જ પણ મળવાના છે

