વાંકાનેરના આણંદપર ગામે પતિ સાથે અવારનવાર ઝઘડા થતા પરણીતાએ અણધાર્યું પગલું ભર્યું
SHARE
વાંકાનેરના આણંદપર ગામે પતિ સાથે અવારનવાર ઝઘડા થતા પરણીતાએ અણધાર્યું પગલું ભર્યું
વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં વાડીએ મજૂરી કામ કરતી અને ત્યાં ઓરડીમાં રહેતી પરિણીતાએ તેના પતિ સાથે અવારનવાર સામાન્ય બાબતે બોલાચાલી અને ઝઘડા થતા હતા જેથી તેને લાગી આવતા તેને ઓરડીમાં છતની એંગલ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના આણંદપર ગામે જગદીશભાઈ જીવણભાઈની વાડીએ મજૂરી કામ કરતા અને ત્યાં ઓરડીમાં રહેતા પાયલ રાહુલભાઈ ડામોર (૧૭)એ વાડીની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાને તેના પતિ રાહુલ ડામોર સાથે અવારનવાર સામાન્ય બાબતે બોલાચાલી અને ઝઘડો થતો હતો જેથી કરીને તેને લાગી આવતા તેણે ઓરડીમાં છતના પતરાની લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે