વાંકાનેરના આણંદપર ગામે પતિ સાથે અવારનવાર ઝઘડા થતા પરણીતાએ અણધાર્યું પગલું ભર્યું
હળવદના ટીકર ગામના યુવાને માથક રોડે નર્મદાની કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું
SHARE
હળવદના ટીકર ગામના યુવાને માથક રોડે નર્મદાની કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું
હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા યુવાને કોઈ કારણોસર નવા કડિયાણા પાસે મથક રોડે આવેલ નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યું હતું જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા કડિયાણા ગામે માથક રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલમાં ટીકર ગામના રહેવાસી રોહિતભાઈ કરસનભાઈ સીતાપરા જાતે પટેલ (૨૯) એ ઝંપલાવ્યું હતું જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનો મોત નીપજયું હતું અને તેના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે, મૃતક યુવાને કયા કારણોસર નર્મદાની કેનાલમાં પાડીને આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ હવે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી.પરમાર ચલાવી રહ્યા છે.









