મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામના યુવાને માથક રોડે નર્મદાની કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું


SHARE















હળવદના ટીકર ગામના યુવાને માથક રોડે નર્મદાની કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું

હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા યુવાને કોઈ કારણોસર નવા કડિયાણા પાસે મથક રોડે આવેલ નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યું હતું જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા કડિયાણા ગામે માથક રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલમાં ટીકર ગામના રહેવાસી રોહિતભાઈ કરસનભાઈ સીતાપરા જાતે પટેલ (૨૯) એ ઝંપલાવ્યું હતું જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનો મોત નીપજયું હતું અને તેના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે, મૃતક યુવાને કયા કારણોસર નર્મદાની કેનાલમાં પાડીને આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ હવે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી.પરમાર ચલાવી રહ્યા છે.






Latest News