મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામના યુવાને માથક રોડે નર્મદાની કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું


SHARE







હળવદના ટીકર ગામના યુવાને માથક રોડે નર્મદાની કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું

હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા યુવાને કોઈ કારણોસર નવા કડિયાણા પાસે મથક રોડે આવેલ નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યું હતું જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા કડિયાણા ગામે માથક રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલમાં ટીકર ગામના રહેવાસી રોહિતભાઈ કરસનભાઈ સીતાપરા જાતે પટેલ (૨૯) એ ઝંપલાવ્યું હતું જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનો મોત નીપજયું હતું અને તેના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે, મૃતક યુવાને કયા કારણોસર નર્મદાની કેનાલમાં પાડીને આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ હવે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી.પરમાર ચલાવી રહ્યા છે.






Latest News