બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

સતકાર્ય :મોરબીની સિવિલ હોસ્પિટલમાં બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા સીરામીક એકમ દ્વારા બેલા મુકામે બ્લડ કેમ્પનું આયોજન


SHARE











સતકાર્ય :મોરબીની સિવિલ હોસ્પિટલમાં બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા સીરામીક એકમ દ્વારા બેલા મુકામે બ્લડ કેમ્પનું આયોજન

મોરબીની સરકારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ આવતા હોય છે અને આ દર્દીઓ માટે જ્યારે પણ બ્લડની જરૂર પડે ત્યારે તે બ્લડની જરૂરિયાતને પહોંચી વળી શકાય તે માટે સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકના લાભાર્થે મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ સીરામીક એકમ દ્વારા બ્લડ કેમ્પનું આવતીકાલ તા.૧૨ ના રોજ આયોજન કરવામાં આવેલ છે અને સહયોગ આપવા આયોજકો દ્રારા સૌને અપીલ કરાય છે.

 

મોરબી કે જે ઉધોગની સાથે સાથે સેવા અને દાનમાં હંમેશા અગ્રેસર રહેતુ હોય છે અને આ મોરબી શહેરના ઉધોગપતિઓ કે જેને ખરા અર્થમાં શહેરના ભામાશાઓ કહી શકાય કે જેમણે ભારતમાં ભરમાં જ્યારે પણ‌ કોઈ જરૂરિયાત જણાઈ ત્યારે તન મન અને ધનથી વરસીને લોકોની તમામ જરૂરિયાતો પૂરી પાડી છે તદુપરાંત મોરબીના લોકોની રોજબરોજની નાનીમોટી સમસ્યાઓના સમાધાન માટે પણ હંમેશા કટિબદ્ધ રહે છે.ત્યારે મોરબીના જ એવા ઔધોગિક એકમોમાના‌ એક એવા એલાઇવ ગ્રેનાઇટો પ્રા.લી. પરીવાર દ્વારા શહેરની એકમાત્ર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવનાર તમામ લોકોની નિઃશુલ્ક બ્લડની જરૂરિયાત પુર્ણ કરતી સરકારી બ્લ્ડબેંકની બ્લડની જરૂરિયાતને ધ્યાનમાં લઈને આવતીકાલ તા.૧૨ ના રોજ બપોરના ૩ વાગ્યાથી એલાઇવ ગ્રેનાઇટો ખોખરા હનુમાન રોડ, બેલા (રંગપર) મોરબી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આપણે ત્યાં માનવસેવા એ જ પ્રભુ સેવા કહેવાય છે અને એમાં પણ રક્તદાનને મહાદાન કહેવામાં આવે છે.કારણકે એક વ્યક્તિ દ્વારા કરવામાં આવતુ રક્તદાન અન્ય ૩ લોકોને જીવનદાન પ્રદાન કરે છે ત્યારે એલાઇવ ગ્રેનાઇટો દ્વારા ખોખરા હનુમાન રોડ, બેલા તા.મોરબીના આસપાસના વિસ્તારના તમામ લોકોને કેમ્પમાં હાજરી આપીને આ મહાદાન રૂપી રક્તદાન કેમ્પને સાર્થક કરવા માટે સાથ સહકાર આપવા અનુરોધ કરાયો છે.






Latest News