હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં દારૂ-બિયરની બે અને જુગારની બે રેડ મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ગણગૌર પર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ


SHARE















મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ગણગૌર પર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ

મોરબીમાં માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગણગૌરપર્વની દર વર્ષે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ધામધુમથી ગણગૌરની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવજીના લગ્નનો વરઘોડો વાજતે ગાજતે મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી કાઢવામાં આવ્યો હતો

ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રીજ તિથિના રોજ ગણગૌરપર્વ ઊજવવવામાં આવે છે. આને ઇસર ગૌરપણ કહેવાય છે. ઇસર એટલે ભગવાન શિવ અને ગૌર એટલે દેવી પાર્વતીની પૂજા વિશેષ રૂપથી કરવામાં આવે છે. આમ તો આ રાજસ્થાનનો લોક તહેવાર છે પરંતુ મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ છેલ્લા વર્ષોથી લોકો ગણગૌરની ધામધુમથી ઉજવણી કરે છે જેમાં ખાસ કરીને માહેશ્વરી સમાજ જોડાતો હોય છે જો મોરબી શહેરની વાત કરીએ તો મોરબીમાં માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગણગૌરપર્વની દર વર્ષે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને એવી કહેવાય છે કે, ગણગૌર વ્રત કુંવારી છોકરીઓને મનવાંછિત પતિ અને વિવાહિત મહિલાઓ પતિની સુખ-સમૃદ્ધિ માટે રાખે છે આ વર્ષે મોરબી મોરબી માહેશ્વરી સમાજની મહિલા પાંખના પ્રમુખ મધુબેન સુખાણી અને મોરબી માહેશ્વરી સમાજના પ્રમુખ ઉમેશભાઈ કચોરીયાની આગેવાનીમાં આ વર્ષે ગણગૌરપર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને મોરબીમાં શનાળા રોડ ઉપર રહેતા લાલતિભાઈ કચોરીયાના ઘરેથી શિવજીના લગ્નનો વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો હતો અને મોરબીના શનાળા રોડ સહિતના મુખ્ય માર્ગો ઉપર થઈને મોરબીના પરસોતમ ચોક પાસે આવેલ સતવારા સમાજની વાડી પાસે વરઘોડો પૂરો કરવામાં આવ્યો હતો ત્યાર બાદ શિવજીના લગ્નની વિધિ કરવામાં આવી હતી અને ત્યારે મહિલાઓ દ્વારા જુદાજુદા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું






Latest News