બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ગણગૌર પર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ


SHARE











મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ગણગૌર પર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ

મોરબીમાં માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગણગૌરપર્વની દર વર્ષે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ધામધુમથી ગણગૌરની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવજીના લગ્નનો વરઘોડો વાજતે ગાજતે મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી કાઢવામાં આવ્યો હતો

ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રીજ તિથિના રોજ ગણગૌરપર્વ ઊજવવવામાં આવે છે. આને ઇસર ગૌરપણ કહેવાય છે. ઇસર એટલે ભગવાન શિવ અને ગૌર એટલે દેવી પાર્વતીની પૂજા વિશેષ રૂપથી કરવામાં આવે છે. આમ તો આ રાજસ્થાનનો લોક તહેવાર છે પરંતુ મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ છેલ્લા વર્ષોથી લોકો ગણગૌરની ધામધુમથી ઉજવણી કરે છે જેમાં ખાસ કરીને માહેશ્વરી સમાજ જોડાતો હોય છે જો મોરબી શહેરની વાત કરીએ તો મોરબીમાં માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગણગૌરપર્વની દર વર્ષે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને એવી કહેવાય છે કે, ગણગૌર વ્રત કુંવારી છોકરીઓને મનવાંછિત પતિ અને વિવાહિત મહિલાઓ પતિની સુખ-સમૃદ્ધિ માટે રાખે છે આ વર્ષે મોરબી મોરબી માહેશ્વરી સમાજની મહિલા પાંખના પ્રમુખ મધુબેન સુખાણી અને મોરબી માહેશ્વરી સમાજના પ્રમુખ ઉમેશભાઈ કચોરીયાની આગેવાનીમાં આ વર્ષે ગણગૌરપર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને મોરબીમાં શનાળા રોડ ઉપર રહેતા લાલતિભાઈ કચોરીયાના ઘરેથી શિવજીના લગ્નનો વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો હતો અને મોરબીના શનાળા રોડ સહિતના મુખ્ય માર્ગો ઉપર થઈને મોરબીના પરસોતમ ચોક પાસે આવેલ સતવારા સમાજની વાડી પાસે વરઘોડો પૂરો કરવામાં આવ્યો હતો ત્યાર બાદ શિવજીના લગ્નની વિધિ કરવામાં આવી હતી અને ત્યારે મહિલાઓ દ્વારા જુદાજુદા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું






Latest News