બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૩ એપ્રિલના રોજ ભવ્ય ભીમ ભજનનું આયોજન


SHARE











મોરબીમાં ૧૩ એપ્રિલના રોજ ભવ્ય ભીમ ભજનનું આયોજન

મોરબી સહિત દેશભરમાં આગામી ૧૪ મી એપ્રિલના રોજ સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પ્રધાન તેમજ આધુનિક ભારતના સંવિધાનના રચયિતા એવા ભારતરત્ન બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરજીની ૧૩૩ મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવશે ત્યારે મોરબીમાં ભવ્ય ભીમ ભજનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં આગામી ૧૪ એપ્રિલના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવણી સંદર્ભ તા.૧૩ એપ્રિલને શનિવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર ચોકમાં ભવ્ય ભીમ ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભીમ ભજનીક કલાકાર નિતીન શુક્લ તથા તેમના સાંજીદા રાજુ જોષી અને રાજુ રાઠોડ ગ્રુપ દ્વારા ડો.બાબા સાહેબના સંઘર્ષમય જીવન વિશે માહિતી તથા ભજનો રજુ કરવામાં આવશે. આ ભીમ ભજનમાં પધારવા જયભીમ યુવા મિત્ર મંડળ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News