મોરબીમાં એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીના જામીન મંજૂર
SHARE
મોરબીમાં એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીના જામીન મંજૂર
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એનડીપીએસના ગુનામાં આરોપી પવિણ ઉર્ફે દિનેશ ભેરારામ ખિલોરીની ધરપકડ કરી હતી તેના જમીન માટેની અરજી મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ (એનડીપીએસ સ્પે. કોર્ટ)માં કરવામાં આવી હતી જેમાં આરોપીના જામીન કોર્ટે મંજૂર કરેલ છે
મોરબી સીટી બી ડિવીઝ્ન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી કે, આરોપીઓ પાસેથી પાસ પરમીટ કે આધાર વગર માદક પદાર્થ ગાંજા તથા હિરોઈન ૧૪૯.૬૦ ગ્રામ કીમત રૂપીયા ૭,૪૮,૦૦૦ નો જથ્થો વેચાણ કરવાના ઈરાદે રાજસ્થાનથી લઈને આવીને પોતાની કબજા ભોગવટા વાળી જગ્યામાં રાખી રેઈડ દરમીયાન મળી આવેલ છે. તથા આરોપીઓની અંગજળતી દરમ્યાન મોબાઈલ સાથે મળી આવતા આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જેથી આરોપીએ મોરબીના જાણીતા એડ્વોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફતે જામીન મેળવવા મોરબીના ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન માટેની અરજી કરી હતી આ જામીન અરજીના કામે બન્ને પક્ષેથી દલીલ કરવામાં આવી હતી અને આરોપી તરફે દલીલ કરવામાં આવેલ કે, આવો કોઈ ગુનો કરેલ નથી. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કરીને જણાવેલ છે કે કોર્ટે ગુનાની ગંભીરતા અને તેનો નેચર જોવો જોઈએ બન્ને બાજુની બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ. બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ અને સુપ્રીમ કોર્ટએ આપેલ જજમેન્ટ 'સંજય ચાંદ્રા વિ. સી.બી.આઈ' ને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયાની દલીલ માન્ય રાખી આરોપીને જામીન પર છોડવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી એડ્વોકેટ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલા હતા.