મોરબીમાં ૧૩ મી એપ્રિલના પીઠડનું પ્રખ્યાત રામામંડળ રમાશે, તા.૧૪ ના રાહત ભાવે પ્રાકૃતિક વસ્તુઓ મળશે
મોરબી સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનો માટે રમઝાન ઇદ નિમિત્તે ઉજવણી કરાઈ
SHARE
મોરબી સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનો માટે રમઝાન ઇદ નિમિત્તે ઉજવણી કરાઈ
મોરબી સબજેલ ખાતે જેલમાં રહેલા મુસ્લિમ બંદીવાન ભાઈઓ દ્વારા રમજાન માસમાં રોજા રાખવામાં આવેલા હોય અને તેઓ દ્વારા રમજાન ઈદની ઉજવણી કરી શકાય તે માટે મોરબી જેલ પ્રશાસન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
મોરબી સબ જેલમાં રહેલા મુસ્લિમ બંદિવાનો દ્રારા રમજાન માસ નિમિતે જેલમાં રોઝા રહેતા હતા અને ખુદાની બંદગી કરતા હતા.તા.૧૧ ના રોજ રમજાન ઇદ નિમિતે સમસ્ત મિંયાણા (મુસ્લિમ) સમાજ મહાસંગઠન ટ્રસ્ટ ગુજરાતના મોલાનાઓ દ્રારા મોરબી સબ જેલમાં રહેલા મુસ્લિમ ભાઇઓને ઇદુ-ઉલ ફિત્ર નમાજ અદા કરી ખુદાની બંદગી કરાવવામાં આવેલ છે.દરમ્યાન મોરબી સબ જેલના ઇન ચાર્જ અધિક્ષક પી.એમ.ચાવડા તથા ઇન ચાર્જ જેલર એ.આર.હાલપરાનાઓ સાથે જેલ સ્ટાફ દ્રારા પુરતો સાથ-સહકાર આપવામાં આવ્યો હતો.