મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનો માટે રમઝાન ઇદ નિમિત્તે ઉજવણી કરાઈ


SHARE















મોરબી સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનો માટે રમઝાન ઇદ નિમિત્તે ઉજવણી કરાઈ

મોરબી સબજેલ ખાતે જેલમાં રહેલા મુસ્લિમ બંદીવાન ભાઈઓ દ્વારા રમજાન માસમાં રોજા રાખવામાં આવેલા હોય અને તેઓ દ્વારા રમજાન ઈદની ઉજવણી કરી શકાય તે માટે મોરબી જેલ પ્રશાસન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

મોરબી સબ જેલમાં રહેલા મુસ્લિમ બંદિવાનો દ્રારા રમજાન માસ નિમિતે જેલમાં રોઝા રહેતા હતા અને ખુદાની બંદગી કરતા હતા.તા.૧૧ ના રોજ રમજાન ઇદ નિમિતે સમસ્ત મિંયાણા (મુસ્લિમ) સમાજ મહાસંગઠન ટ્રસ્ટ ગુજરાતના મોલાનાઓ દ્રારા મોરબી સબ જેલમાં રહેલા મુસ્લિમ ભાઇઓને ઇદુ-ઉલ ફિત્ર નમાજ અદા કરી ખુદાની બંદગી  કરાવવામાં આવેલ છે.દરમ્યાન મોરબી સબ જેલના ઇન ચાર્જ અધિક્ષક પી.એમ.ચાવડા તથા ઇન ચાર્જ જેલર એ.આર.હાલપરાનાઓ સાથે જેલ સ્ટાફ દ્રારા પુરતો સાથ-સહકાર આપવામાં આવ્યો હતો.






Latest News