મોરબીના જોધપર નદી ગામે સાસુ, જેઠ અને જેઠાણીનાત્રાસથી કંટાળીને પરણિતાએ ઝેરી દવા ગટગટાવી મોરબીના રામપર ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીના લાલપર પાસે બંધ પડેલા આઇસર ટ્રકની પાછળ રિક્ષા અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત ટંકારાના ઓટાળા ગામે રહેતા યુવાને 30 લાખની સામે 1.45 કરોડ ચૂકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ !: બે સામે ફરિયાદ હળવદના ચુપણી ગામે પ્રેમ લગ્ન કરનાર યુવતીના કૌટુંબિક ભાઈજીને ધોકા વડે માર માર્યો: મારી નાખવાની ધમકી હળવદના ડુંગરપુર ગામે પ્રેમ લગ્ન કરનાર બહેનને ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના રણમલપુર ગામનો બનાવ: મૈત્રી કરાર કરનાર યુગલે ઝેરી દવા પી લેતા યુવતીનું સારવારમાં મોત મોરબીના જોધપર નદી ગામના જાપા પાસેથી ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત  
Breaking news
Morbi Today

મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય બેકારીથી માનસિક હતાશ થઈ ગયેલ યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE







મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય બેકારીથી માનસિક હતાશ થઈ ગયેલ યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી તેમજ ભંગારને ફેરીનું કામકાજ કરતા મજુર યુવાનને છેલ્લા કેટલાક દિવસોથી કામ ધંધો મળતો ન હતો અને બેકારીથી કંટાળી જઇને માનસિક હતાશ થઈ ગયેલ આ યુવાને તેના ઘરે અંતિમ પગલું ભરી લીધું હતું જેથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવેલ છે આ બનાવની જાણ કરવામાં આવતા મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા રાબેતા મુજબની તપાસ શરૂ કરાઈ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરીનું કામકાજ તેમજ ભંગારની ફેરીનું કામકાજ કરતા સુનિલ બાબુભાઇ વરાણીયા (૩૨) નામના યુવાને તેના ઘરે તા. ૧૦ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ અનિલભાઈ દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેથી બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર તપાસ માટે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જોકે મૃતકના પરિવારજનો મૃતદેહનું પીએમ કરાવવા ઇચ્છતા ન હોય પીએમ કરવામાં આવ્યું ન હતું અને હાલ પોલીસ દ્વારા મૃતકના ભાઈ અનિલભાઈનું નિવેદન લેવામાં આવ્યું હતું. જેમાં મૃતકના ભાઈએ પોલીસને જણાવ્યું હતું કે, મૃતક સુનિલભાઈ છૂટક મજૂરી અને ભંગારની ફેરીનું કામકાજ કરતા હતા અને છેલ્લા કેટલાક સમયથી મજૂરી કામ તથા અન્ય ધંધો બરોબર ચાલતો ન હોય આર્થિક મુશ્કેલી હતી અને હતાશ થઈ જઈને તેઓએ આ પગલું ભરી લીધું હતું તેના અવસાનના પગલે બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે

ઝેરી દવા

હળવદ તાલુકાના રણમલપુર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતો મૂળ ધાંગધ્રા તાલુકાના એંજાર ગામનો રહેવાસી મેહુલભાઈ જેસીંગભાઇ ગેડાણી (૨૨) નામનો યુવાન દાડમમાં છાંટવાની દવા વાળા ગ્લાસમાંથી પાણી પી ગયો હતો.જેથી કરીને તેને ઝેરી અસર થઈ હોવાથી તે યુવાનને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે ધાંગધ્રા અને ત્યારબાદ રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને ત્યાં તે સારવાર હેઠળ છે.જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News