મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથેની બોલાચાલી બાદ યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત:પરિવારમા કલ્પાંત


SHARE















મોરબીમાં પત્ની સાથેની બોલાચાલી બાદ યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત:પરિવારમા કલ્પાંત

મોરબીના મુનનગર વિસ્તારમાં કોમર્શિયલ બિલ્ડીંગનું બાંધકામ ચાલુ છે તે બિલ્ડીંગના બાંધકામમાં કડિયા કામની મજૂરી કરતા મૂળ છત્તીસગઢના યુવાને કામના સ્થળે ગળેફાંસો ખાઈને આઘાત કરી લીધો હતો.જેથી તેનું મોત નીપજયું હતું જેથી એક સંતાન અને પત્નીએ છત્રછાંયા ગુમાવી કલ્પાંત કર્યો હતો.બાદમાં મૃતકના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લાતી પ્લોટ વિસ્તારની પાછળ આવેલા મુન નગર વિસ્તારમાં કોમર્શિયલ બિલ્ડીંગ બનાવવાનું કામ ચાલુ છે અને આ બાંધકામમાં કડિયા કામની મજૂરી કરતા મૂળ છત્તીસગઢના પ્રભાતભાઈ જામલાલ અગરીયા (ઉમર આશરે ૩૦) એ તા.૧૧-૪ ના રોજ સવારના સાતેક વાગ્યા પહેલા કોઈપણ સમયે તે જયાં કામ કરતો હતો અને રહેતો હતો ત્યાં જ ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને તેનું મોત નીપજયું હતું.જેથી તેના મૃતદેહને સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો.આ બનાવની બાંધકામના સ્થળેથી વિપુલભાઇ મગનભાઇ કાચરોલા દ્રારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.વધુમાં પોલીસને બનાવની જાણ કરનારા વિપુલભાઇ કાચરોલા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓ દ્વારા મુનનગર વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને તેમાં કડિયા કામની મજૂરી માટે છત્તીસગઢના અમુક પરિવારો ત્યાં જ રહીને મજૂરી કામ કરે છે.જેમાં મૃતક પ્રભાતભાઈ અગરીયા જાતે લુહાર તેના પત્ની અને એક સંતાન સાથે ત્યાં જ રહીને મજૂરી કામ કરતો હતો.ત્યાં સાથે કામ કરતા લોકોના કહેવા મુજબ મૃતક યુવાનને તેની પત્ની સાથે કોઇ બાબતે સામાન્ય બોલાચાલી થઇ હતી ત્યાર બાદ તેણે આ અજુગતુ પગલું ભરી લેતા તેનું મોત નિપજેલ છે.

વાહન અકસ્માતમાં યુવાનને ઇજા

મોરબીના છાત્રાલય રોડ નજીક રહેતા ધર્મેન્દ્રભાઈ પ્રવીણભાઈ ચૌહાણ નામના ૨૬ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા તેને અત્રેની સરકારી હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાંથી બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા સ્ટાફના હરેશભાઈ ચાવડાએ પહોંચીને તપાસ શરૂ કરી હતી.તેઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે ધર્મેન્દ્રભાઈ ચૌહાણ મોરબીના નગર દરવાજા ચોક પાસે પરા બજારમાં આવેલ જનતા સેવા ભંડાર નજીક હતા ત્યાં વાહન અકસ્માતના બનાવમાં તેઓને ડાબા પગના ભાગે ઇજા થતાં સારવાર માટે પ્રથમ સરકારી હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે અત્રે ક્રિષ્ના હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.





Latest News