મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ  હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાઓકે સંગીત સંધ્યાનું આયોજન


SHARE













મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાઓકે સંગીત સંધ્યાનું આયોજન

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાઓકે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે જે બ્રહ્મ પરિવારના ભાઈ અને બહેનોને ભાગ લેવો હોય તેઓની પાસેથી કોઈપણ એક ગીતનું વિડિયો રેકોર્ડિંગ મંગાવવામાં આવ્યું છે તેના આધારે આગામી દિવસોમાં આ કાર્યક્રમની તારીખ, સમય અને સ્થળ નક્કી કરવામાં આવશે

હાલમાં કરાઓકે સિંગીંગએ નવી ટેકનીક અને ટેકનોલોજીનું ગાયન સ્વરુપ છે જેના દ્વારા નવા કલાકારોને મંચ મળે છે ત્યારે બ્રહ્મ બંધુ ભગીનીઓને સ્ટેજ અને સાથે મનોરંજન પણ મળેએ હેતુથી શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા કરાઓકે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ આગામી મે કે જુન માહિનામાં રાખવામા આવશે અને આ કાર્યક્રમમાં કોઈપણ ઉંમરના મોરબી શહેરના બ્રહ્મ પરિવારના ભાઈ અને બહેનો ભાગ લઈ શકશે અને જેને ભાગ લેવો હોય તેઓએ પોતાનું નામ, સરનામું, ઉંમર, સંપર્ક નંબર સહિતની વિગતો સાથે કોઈપણ એક ગીતનું વિડિયો રેકોર્ડિંગ સંસ્થાના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદીને (૮૭૮૦૨૮૭૨૨૦) ઉપર તા ૩૦/૪ સુધીમાં મોકલવાનું રહેશે અને આ કાર્યક્રમ માટે સ્થાન, તારીખ અને સમય વગેરે વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે તેવું પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી અને અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા તેમજ કમલભાઈ દવે, મિલેશભાઈ ડી. જોષી, અમુલભાઈ જોષી, કેયુરભાઈ પંડ્યાએ જણાવ્યુ છે






Latest News