મોરબીમાં કામ દરમિયાન ઊંચાઈએથી પડી જતા બે યુવાન સારવારમાં, એકને રાજકોટ ખસેડાયો
મોરબીના યમુનાનગરમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર અંતિમ પગલું ભર્યું
SHARE
મોરબીના યમુનાનગરમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર અંતિમ પગલું ભર્યું
મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગર વિસ્તારની અંદર રહેતા યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રહેવાસી અને હાલમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગરમાં રહેતા અને દુકાન ભાડે રાખીને કરિયાણાનો વેપાર કરતા ભુપતભાઈ મગનભાઈ હાડા (૨૭) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે યુવાનના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ છે જો કે, યુવાને ત્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે
મારા મારીમાં ઇજા
મોરબીના બોધ્ધનગર વિસ્તારમાં રહેતા રાહુલ છગનભાઈ મુછડીયા (૨૭) નામના યુવાનને બૌદ્ધનગર વિસ્તારમાં માતાજીના મંદિર પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને બનાવની વધુ તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે