મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ


SHARE







મોરબી નજીક કારખાનામાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ

દાહોદના ગરબાડા પોલીસ સ્ટેશનમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનાના આરોપીઓ મોરબી તાલુકા વિસ્તારમાં હોવાની હકીકત મળી હતી તેના આધારે ત્યાની પોલીસ મોરબી આવી હતી અને મોરબી તાલુકા પોલીસને સાથે રાખીને ત્રણ આરોપીઓની ધરપકડ કરીને સાથે લઈ ગઈ હોવાની માહિતી જાણવા મળેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીની આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં તથા ખેતીમાં રોજગારી માટે તેને બીજા જિલ્લા અને રાજ્યમાંથી આવતા લોકોમાંથી ઘણા બધા લોકો પોતાના વતનમાં ગુના કરીને આવતા હોય છે અને ત્યારબાદ ત્યાંની પોલીસ અહીં આવીને આરોપીઓની ધરપકડ કરતી હોય તેવું અનેક વખત સામે આવ્યું છે તેવામાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા પોલીસ સ્ટેશનમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનાના આરોપીઓ મોરબી તાલુકા વિસ્તારમાં હોવાની હકીકત મળી હતી જેના આધારે ત્યાંના ઇન્ચાર્જ પીઆઇ એસ.વી. વસાવા અને તેની ટીમ મોરબી આવી હતી અને મોરબી તાલુકા પોલીસને સાથે રાખીને મોરબીના બેલા ગામ નજીક ગ્લોબલ સીરામીકના લેબલ કવાર્ટરમાંથી આરોપી સંતોષ મહેશભાઈ જાના રહે. એમપી, લાલુભાઇ પટેલિયા રહે. એમપી અને અનિલ ખાપરા રહે. ગરબાડા તાલુકો દાહોદ વાળાની ધરપકડ કરીને અહીંથી ગરબાડા લઈ જવામાં આવ્યા હોવાનું મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળેલ છે

મારામારીમાં ઇજા

મોરબીના શોભેશ્વર રોડ ઉપર મંદિરની પાછળના ભાગમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મુકેશભાઈ પ્રવીણભાઈ દેગામા (૩૨) રહે. શોભેસ્વર રોડ મહાદેવ મંદિર પાછળ વાળાને ઇજાઓ થયો હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે






Latest News