મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

સાગર માલા પ્રોજેક્ટ હેઠળ મોરબીના માળિયા(મિં.) થી ઓખા નેશનલ હાઇવેના માળિયાથી પીપળીયા ચાર માર્ગીય રસ્તાનું કામ શરૂ કરવા માંગ


SHARE







સાગર માલા પ્રોજેક્ટ હેઠળ મોરબીના માળિયા(મિં.) થી ઓખા નેશનલ હાઇવેના માળિયાથી પીપળીયા ચાર માર્ગીય રસ્તાનું કામ શરૂ કરવા માંગ

કોઈપણ કટોકટીના સમયમાં ઝડપથી લોકો સુધી રાશન-પાણી પહોંચાડી શકાય તેમજ મિલેટ્રી, નેવી કે એરફોર્સ માટેના સાધનો-વાહનોને ઝડપથી પહોંચાડી શકાય તે માટે સરકાર દ્વારા સાગર માલા પ્રોજેક્ટ અંતર્ગત દરિયાઈ પટ્ટીના વિસ્તારના રોડોનું આધુનિક કામકાજ થાય અને પાકા રોડ બને જેથી કરીને કોઈપણ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં સરકાર પહોંચી વળે તે કામ થઈ રહ્યા છે અને જે ખૂબ પ્રસંશાને પાત્ર છે.પરંતુ અમુક વિસ્તારોમાં આપવામાં આવેલ કામ હાલમાં બંધ હોય તે કામ ઝડપથી ચાલુ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.મોરબીમાં માળીયા (મીંયાણા) થી પીપળીયા ફોર લેન રોડનું કામ હજુ શરૂ થયું નથી તેથી આ કામ તાકીદે શરૂ કરવામાં આવે તે જરૂરી છે.નવલખી બંદરથી કચ્છ સુધીનો તમામ વાહન વ્યવહાર અહીંથી પસાર થાય છે.નવલખી બંદરના વિકાસ માટે પણ આ માર્ગ બનાવવો અત્યંત જરૂરી છે.

ભારત સરકારે સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ ઓખાથી માળિયા (મિંયાણા) સુધી આરસીસી ફોર લેન રોડ મંજૂર થયો છે.પરંતુ માળીયાથી પીપળીયા ચાર રસ્તા સુધીનું કામ હજુ શરૂ થયું નથી.આ કામ વહેલી તકે શરૂ કરવું જરૂરી છે. પીપળીયા ચાર રસ્તા ખાતે રેલ્વે ઓવરબ્રિજ બનાવવો પણ ખુબ જરૂરી છે.તે બાબતે અગ્રતાના ધોરણે કામ થાય તે માટે સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી તેમજ માર્ગ પરિવહન મંત્રાલયના મંત્રી નીતિનભાઈ ગડકરીને લેખીત રજૂઆત કરેલ છે.






Latest News