ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

સાગર માલા પ્રોજેક્ટ હેઠળ મોરબીના માળિયા(મિં.) થી ઓખા નેશનલ હાઇવેના માળિયાથી પીપળીયા ચાર માર્ગીય રસ્તાનું કામ શરૂ કરવા માંગ


SHARE













સાગર માલા પ્રોજેક્ટ હેઠળ મોરબીના માળિયા(મિં.) થી ઓખા નેશનલ હાઇવેના માળિયાથી પીપળીયા ચાર માર્ગીય રસ્તાનું કામ શરૂ કરવા માંગ

કોઈપણ કટોકટીના સમયમાં ઝડપથી લોકો સુધી રાશન-પાણી પહોંચાડી શકાય તેમજ મિલેટ્રી, નેવી કે એરફોર્સ માટેના સાધનો-વાહનોને ઝડપથી પહોંચાડી શકાય તે માટે સરકાર દ્વારા સાગર માલા પ્રોજેક્ટ અંતર્ગત દરિયાઈ પટ્ટીના વિસ્તારના રોડોનું આધુનિક કામકાજ થાય અને પાકા રોડ બને જેથી કરીને કોઈપણ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં સરકાર પહોંચી વળે તે કામ થઈ રહ્યા છે અને જે ખૂબ પ્રસંશાને પાત્ર છે.પરંતુ અમુક વિસ્તારોમાં આપવામાં આવેલ કામ હાલમાં બંધ હોય તે કામ ઝડપથી ચાલુ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.મોરબીમાં માળીયા (મીંયાણા) થી પીપળીયા ફોર લેન રોડનું કામ હજુ શરૂ થયું નથી તેથી આ કામ તાકીદે શરૂ કરવામાં આવે તે જરૂરી છે.નવલખી બંદરથી કચ્છ સુધીનો તમામ વાહન વ્યવહાર અહીંથી પસાર થાય છે.નવલખી બંદરના વિકાસ માટે પણ આ માર્ગ બનાવવો અત્યંત જરૂરી છે.

ભારત સરકારે સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ ઓખાથી માળિયા (મિંયાણા) સુધી આરસીસી ફોર લેન રોડ મંજૂર થયો છે.પરંતુ માળીયાથી પીપળીયા ચાર રસ્તા સુધીનું કામ હજુ શરૂ થયું નથી.આ કામ વહેલી તકે શરૂ કરવું જરૂરી છે. પીપળીયા ચાર રસ્તા ખાતે રેલ્વે ઓવરબ્રિજ બનાવવો પણ ખુબ જરૂરી છે.તે બાબતે અગ્રતાના ધોરણે કામ થાય તે માટે સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી તેમજ માર્ગ પરિવહન મંત્રાલયના મંત્રી નીતિનભાઈ ગડકરીને લેખીત રજૂઆત કરેલ છે.






Latest News