મોરબીમાં આર્થિક ભીંસથી કંટાળીને વૃદ્ધે એસિડ પી લેતા સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર બોલેરો ચાલકે રિક્ષાને હડફેટે લેતા સાતને ઈજા
SHARE
મોરબીના નવલખી રોડ ઉપર બોલેરો ચાલકે રિક્ષાને હડફેટે લેતા સાતને ઈજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ વનાળીયા ગામ જવાના પાટિયા પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં બોલેરોના ચાલકે રીક્ષાને હડફેટે લેતા સાત લોકોને નાની-મોટી ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા. મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વનાળીયા ગામના પાટિયા પાસે બોલેરોના ચાલકે રિક્ષાને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માત બનાવવામાં ધ્રુવ કિશન ઝિંઝુવાડીયા (૧૦), વિજય નાથુભાઈ ડાભી (૩૫), સંગીતાબેન દિનેશભાઈ ઝીંઝવાડીયા (૨૬) ભારતીબેન કિશનભાઇ ઝિંઝુવાડીયા (૨૬) ચંપાબેન દિનેશભાઈ ઝિંઝવાડીયા (૫૦) રહે.પાંચેય રણછોડનગર મોરબી તેમજ સવિતાબેન રાજુભાઈ ધાંધલીયા (૧૪) અને કાજલબેન રાજુભાઈ ધાંધલીયા (૩૫) રહે.નવલખી હાઇવે ને નાની-મોટી ઈજાઓ થતા હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવાયા હતા અને સારવાર બાદ પોલીસમાં જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.એલ. બારૈયા દ્વારા આ બાબતે નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.
આધેડ મહિલા-પરિણિતા સારવારમાં
મોરબીના વાંકાનેર તાલુકાના લિંબાળા ગામે મેઇન બજાર વિસ્તારમાં રહેતા કુલસુમબેન ઈસુબભાઈ સરવદી નામના ૫૬ વર્ષના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓના બાઇક આડે અચાનક કૂતરું ઉતરતા બાઇક સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં ઇજા પામેલ કુલસુમબેનને મોરબીના સામાકાંઠેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાંથી જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણાએ નોંધ કરીને તપાસ કરી હતી.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતા મમતાબેન બ્રિજેશભાઈ ચૌધરી નામની ૨૫ વર્ષીય મહિલાને તેના ઘરે રાત્રિ દરમિયાન તેમના પતિ દ્વારા માર મારવામાં આવતા ઈજા પામેલ મમતાબેનને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.સારવાર બાદ પોલીસમાં જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમારે નોંધ કરીને તપાસ કરી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ કોસમો કંપની નામના યુનિટ પાસે રહીને મજૂરી કામ કરતાં અસગરભાઈ સફરભાઈ અન્સારી નામનો ૪૦ વર્ષનો યુવાન મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસેથી જતો હતો ત્યાં શિવકાંટા નજીક તેના બાઈકને કોઈ રિક્ષાવાળાએ હડફેટે લેતા ઇજા પામતા સારવાર માટે શહેરના સામેકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.જ્યાંથી બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ બાબતે નોંધ કરીને તપાસ કરવામાં આવી રહી છે.









