મોરબીના લાલપર ગામે એસએમસીએ કરેલી રેડ બાદની તપાસ દરમિયાન વધુ એકની ધરપકડ
મોરબી જલારામ મંદિર ખાતે તા.૪ ના રોજ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
SHARE
મોરબી જલારામ મંદિર ખાતે મંગળવારે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
મોરબી જલારામ મંદિર ખાતે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા ૪ ને મંગળવારે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીના ૩૨ કેમ્પમા કુલ ૧૦૧૧૫ લોકોએ લાભ લીધો તેમજ ૪૫૭૬ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા છે
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે તા.૪-૬ મંગળવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન સ્વ. છબીલદાસ કરમશીભાઈ કોટેચા પરિવારના સહયોગથી વિનામુલ્યે કેમ્પ યોજાશે. જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવશે. અને ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા સહિતની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામા આવશ