મોરબી જલારામ મંદિર ખાતે તા.૪ ના રોજ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
મોરબી જીલ્લામાં વિદ્યાર્થીઓને લાવવા-મૂકવા માટે ઉપયોગમાં લેવાતા વાહનોના જોખમી રીતે બાળકો ન બેસાડવા તાકીદ
SHARE
મોરબી જીલ્લામાં વિદ્યાર્થીઓને લાવવા-મૂકવા માટે ઉપયોગમાં લેવાતા વાહનોના જોખમી રીતે બાળકો ન બેસાડવા તાકીદ
રાજકોટના ગેમઝોનમાં લાગેલ આગ બાદ હવે તંત્ર કોઈ જોખમ લેવા માંગતુ નથી અને એટલા જ માટે મોરબી જિલ્લાના આવેલ ખાનગી શાળા અને કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લાવવા અને લઈ જવા માટે થઈને જે વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે તે વાહનોના માન્ય દસ્તાવેજોની પૂર્તતા સુનિશ્ચિત કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીએ જણાવ્યુ છે
મોરબી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના સ્કૂલવાન, સ્કૂલરિક્ષા, સ્કૂલબસ વગેરેના વાહનોના સંચાલકોને જણાવવાનું કે, વેકેશન પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં શાળાઓ શરૂ થનાર છે. ત્યારે આપના વાહનોને શાળાના બાળકોને લાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવાતાં પહેલા વાહનોના દસ્તાવેજો જેવા કે, ફિટનેસ, પરમીટ, ટેક્ષ, ઇનસ્યોરન્સ, પી.યુ.સી, રોડ સેફ્ટી સહિતની વગેરે બાબતોની પૂર્તતા સુનિશ્ચિત કરવા તથા વાહનોમાં અનઅધિકૃત અને જોખમી રીતે શાળાના બાળકોને ન બેસાડવા તથા તકેદારી રાખવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.