દેશને અંગદાન, દેહદાન અને પર્યાવરણનું જતન આ ત્રણ મેસેજ આપવા માટે દિલ્હીના ડીસીપી વિપુલ અનેકાંત દ્વારા સાયકલ યાત્રા દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી: મોરબીમાં 11,111 બાજરાના રોટલા ગાયોને ખવડાવવા માટે 70 ચૂલા ચાલુ કર્યા મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી: વતનમાં ભાઈ સાથે થયેલ ઝઘડાનું લાગી આવતા યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE













મોરબી: વતનમાં ભાઈ સાથે થયેલ ઝઘડાનું લાગી આવતા યુવાને અણધાર્યું પગલું ભર્યું

મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં સિરામિક કારખાનાની સામેના ભાગમાં બાવળની જાળી સાથે પ્લાસ્ટિકની પટ્ટી વડે ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવ અંગેની તેના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લાનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં આવેલ સ્કાય ટચ સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો રામદયાલભાઇ ભીકમસિંહ આહિરવાર (૩૨) નામના યુવાને કારખાનાના લેબર કવાર્ટરની સામેના ભાગમાં આવેલ બાવળની જાળીમાં પેલેટ પેકિંગની પ્લાસ્ટિકની પટ્ટી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજન કુમેરસિંગ ઉદમસિંગ આહીરવાર (૨૭) રહે. હાલ ઘુટું રોડ આઇકોન સીરામીકના લેબર ક્વાર્ટરમાં મૂળ રહે મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત મુજબ મૃતક યુવાન ૧૫ દિવસ પહેલા પોતાના વતનમાં ગયો હતો અને ત્યાં તે યુવાનને તેના ભાઈએ તેના ૫૦૦૦ રૂપિયા કાઢી લીધા હોવાનું કહેતા બંને ભાઈઓને તે બાબતે ઝઘડો થયો હતો અને તેના ભાઈ સાથે ઝઘડો થયો હતો તે બાબતનું તેને મનોમન લાગી આવતા તેણે કારખાને પરત આવીને ક્વાર્ટરની સામેના ભાગમાં આવેલ બાવળનું ડાળી સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બીમારી સબબ યુવાનનું મોત

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ નોટો સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો મૂળ ઝારખંડનો રહેવાસી અર્જુનભાઈ વિક્રમભાઈ પીંગુઆ જાતે આદિવાસી (૪૫) નામનો યુવાન પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે કોઈપણ કારણોસર બીમારી સબબ તે યુવાનનું મોત નીપજયું હયાતું જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News