મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે મંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં સેવાસેતુનો કાર્યક્રમો યોજાયો


SHARE













મોરબીના બગથળા ગામે મંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં સેવાસેતુનો કાર્યક્રમો યોજાયો

રાજ્ય વ્યાપી સેવાસેતુના સાતમા ચરણનો મોરબી જિલ્લામાં મોરબી તાલુકા બગથળા ગામેથી શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઈએ દીપ પ્રગટાવી પ્રારંભ કરાવી જણાવ્યું હતું કે લોકોને વ્યક્તિગત લાભો ઘર આંગણા સુધી મળી રહે તેવા ઉમદા હેતુથી સેવાસેતુના કાર્યક્રમો કરવામાં આવે છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે સરકારના ૧૨ વિભાગો દ્વારા ૫૬ જેટલી સેવાઓને લાભ તાલુકા મથકે ગયા વગર ઘર આંગણે મળી રહ્યો છે ત્યારે મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું. આ સેવાસેતુના કાર્યક્રમમાં કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ સહિત સંબંધીત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મંત્રીના હસ્તે સ્થળ પરજ આધાર કાર્ડ, આવકના દાખલા, E-sharm કાર્ડના લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા.




Latest News