જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માવતરે રહેતી મહિલાએ મુંબઈમાં રહેતા તેના પતિ સામે ત્રણ તલાક આપતા ગુનો નોંધાવ્યો


SHARE













વાંકાનેરમાં માવતરે રહેતી મહિલાએ મુંબઈમાં રહેતા તેના પતિ સામે ત્રણ તલાક આપતા ગુનો નોંધાવ્યો

મુસ્લિમ મહિલાઓ માટે ભારત સરકાર દ્વારા ઘડવામાં આવેલ નવા કાયદા અંતર્ગત સૌપ્રથમ કેસ વાંકાનેરમાં નોંધાયેલ છે અને ત્યાર રહેતી મુસ્લિમ મહિલાએ મુંબઈ ખાતે રહેતા તેના પતિ સામે ગેરકાયદે રીતે ત્રણ વખત સોગંદનામાંથી ત્રણ તલાક આપેલ છે જેથી કરીને હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે વાકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં મહિલાના પતિની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ ખોજાખાના શેરીમાં પિતાના ઘરે રહેતા કેલીન રહીમભાઈ હુદ્દા (36) નામની મહિલા તેના પતિ રહીમભાઈ રફીકભાઈ હુદ્દા રહે. મૂળ સુરેન્દ્રનગર હાલ રહે. સી.એચ.એ.સ.વી. રોડ ખોજા જમાતખાના સામે દહીસર મુંબઈ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરીયાદીના લગ્ન દસ વર્ષ પહેલા આરોપી સાથે થયા હતા અને તેમણે સંતાનમાં એક દિકરી છે દરમ્યાન વર્ષ ૨૦૨૪ માં ફરિયાદીએ તેમની ડોક્ટરી પ્રેક્ટિસના નાણા પતિને આપવાનું બંધ કર્યું હતું જેથી કરીને પતિએ ફરિયાદીને એનકેન પ્રકારે ખોટી રીતે હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું જેથી કરીને ફરિયાદી તેમના પિતાના ઘરે આવી ગયા હતા અને ઇસ્માઇલી ખોજા સમાજમાં પતિ વિરુદ્ધ મે-૨૦૨૪ માં તલાક લેવા અંગે સમાજની રૂએ મધ્યસ્થી કરવા કેશ કરેલ હતો જે દરમ્યાન તેમના પતિએ ત્રણ વખત અલગ અલગ કુરીયરથી તેમને સોગંદનામું મોકલી ત્રણ તલાક આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ ભારત સરકારના નવા કાયદા મુજબ તેના પતિ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં અરજી ફરિયાદ કરતાં પોલીસે મહિલાના પતિ સામે મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ 2019 ની કલમ 4 મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News