મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ફાટસર ગામે રહેતા આધેડે બીમારીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું


SHARE

















મોરબીના ફાટસર ગામે રહેતા આધેડે બીમારીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું

મોરબીના ફાટસર ગામે ઇન્દિરા આવાસમાં રહેતા આધેડને છેલ્લા સાતથી આઠ વર્ષથી મગજની બીમારી હતી અને ક્યારેક ક્યારેક આંચકી પણ આવતી હતી જેની દવા ચાલુ હતી અને તે પોતાની બીમારીથી કંટાળી ગયેલ હોય પોતે પોતાના ઘરની અંદર જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકાર ખાતે લાવ્યા હતા અને આ બનાવની મૃતક આધેડના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ફાટસર ગામે ઇન્દિરા આવાસમાં રહેતા રમેશભાઈ પેથાભાઇ પરમાર (55) નામના આધેડે પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મૃતક રમેશભાઈના દીકરા ભરતભાઈ રમેશભાઈ પરમાર (20) રહે, હાલ વીસીપરા શાંતિવન સ્કૂલની પાસે મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક આધેડને છેલ્લા સાતથી આઠ વર્ષથી મગજની બીમારી હતી અને ક્યારેક ક્યારેક આંચકીઓ પણ આવતી હતી જેની દવા ચાલુ હતી અને બીમારીથી કંટાળીને તેને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીના અમરાપર ગામે રહેતા સાગરભાઇ ધરમશીભાઈ ગળચર નામનો ૩૦ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો તે સમયે તેના ગામ પાસે આવેલ મેલડી માતાના મંદિર નજીક તેનું બાઇક કારની સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઈજા થતા તેને અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા કુંવરજીભાઈ કરમશીભાઈ ચાવડા નામના ૪૦ વર્ષીય યુવાનને પાનેલી ગામે આવેલ મેલડી માતાના મંદિર નજીક બાઇક સાથે બાઇક ટકરાતા અકસ્માત બનાવમાં ઇજા થતા સારવારમાં લઇ જવાયા હતા.

કાર સાથે કાર અથડાતા ઈજા

મોરબીના માણેકવાડા ગામ પાસે કારની સાથે કાર અથડાવાનો બનાવ બન્યો હતો.જેમાં દિવ્યાંગ બાબુભાઈ કુંભરવાડિયા (ઉમર ૩૫) રહે. ફડસર તા.મોરબીને ઇજા થતા અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના જીવાપર (ચકમપર) ગામે રહેતા પરિવારની ક્રિષ્ના બીપીનભાઈ હમીરપરા નામની નવ વર્ષની બાળકી મોટરસાયકલમાં બેસીને ગામના ચોક પાસેથી જતા હતા ત્યાં મંદિર નજીકથી બાઈકમાંથી નીચે પડી ગઈ હતી અને તેથી તેને સારવાર માટે સાગર હોસ્પીટલે લઇ જવામાં આવી હતી.




Latest News