મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

નવલખી પોર્ટ ઉપરથી કોલસાની ચોરીના પ્રયાસમાં ચાર આરોપીની ધરપકડ


SHARE











નવલખી પોર્ટમાં જીએમબીના પ્લોટ નંબર-૩ માં અદાણી કંપની દ્વારા ઇમ્પોર્ટ કરેલ કોલસો પ્લોટમાં પડયો હતો અને આ કોલસને ચોરી જવા માટે કારસો રચવામાં આવ્યો હતો જેથી કરીને કંપનીના કર્મચારી દ્વારા માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્ટાફને માર મારીને કોલસાની ચોરી કરવાનો પ્રયાસ કરનારા શખ્સોની સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો જેના આધારે પોલીસે હાલમાં ચારેય આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના નવલખી પોર્ટમાં જીએમબીના પ્લોટ નંબર-૩ માં અદાણી કંપની દ્વારા ઇમ્પોર્ટ કરેલ કોલસો પ્લોટમાં પડયો હતો અને તેઓની કંપનીની પાવતી હોય તો જ ત્યાંથી માલ (કોલસો) ભરી આપો તેવી સૂચના હતી છતાં પણ ચાર લોકોએ અદાણીની જગ્યામાં પડેલ કોલસામાંથી કોલસો ઉપાડી જવાનો કારસો રચ્યો હતો અને તે માટે ગાડી મોકલી હતી અને ત્યાં રહેલા સાહેદને માર મારવામાં આવ્યો હતો બાદમાં અદાણી કંપનીના રવાપર રોડ ટવીન ટાવર ફ્લેટ નંબર-૨૦૨ માં ઇન્ચાર્જે અજય છેદીલાલ જયસ્વાલ ક્ષત્રિય (૩૫) દ્વારા ચાર લોકોની સામે માળીયા(મિં.) પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને લખવ્યું હતું એક આરોપી રામદેવસિંહ સુરૂભા ઝાલા રહે.મોટા દહિસરાજાકુબ ઇસાક નાગીયા રહે. જામનગરસુનિલ રાજુ જોશી રહે.મોટા દહીસરા તેમજ વાહન નંબર જીજે ૩ બીટી ૭૧૮૩ નો ડ્રાઇવર અદાણી કંપની દ્વારા ઈમ્પોર્ટ કરાયેલો કોલસો નવલખી બંદર રહેલ યુએસએલ શિપમેન પાસે રાખવામાં આવ્યો હતો અને તેમના પ્લોટમાં જે કોલસાનો જથ્થો પડયો હતો ત્યાંથી આરોપીઓ દ્વારા પોતાના વાહનમાં કોલસો ચોરી જવાના ઇરાદે કારસો રચવામાં આવ્યો હતો અને કોલસો ચોરી કરી જવાના ઉદ્દેશથી વિરમભાઈને ગાળો બોલી માર માર્યો હતો અને ફડાકા ઝીંકી દીધા હતા. કારણ કે ત્યાં પ્લોટમાં કોલસો ભરવા માટે અદાણી કંપનીનો સિક્કો લગાવેલી પાવતી આપે તો જ પાર્ટીને કોલસાનો જથ્થો ભરી દેવામાં આવતો હતો જો કે, આ આરોપીઓએ વિરમભાઈને કોઈપણ જાતની પાવતી બતાવ્યા વગર જ પોતાના વાહનમાં કોલસો ભરી જવા માટે કારસો રચ્યો હતો જેની જાણ ફરીયાદી અજયભાઈ જેસ્વાલને થતાં તેને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે માળીયા પીએસઆઇ એન.એચ.ચુડાસમાએ ચોરીમારામારી અને ધમકીની કલમો નોંધાયેલા ગુનામાં રામદેવસિંહ સુરૂભા ઝાલા રહે.મોટા દહિસરાજાકુબ ઇસાક નાગીયા રહે. જામનગરસુનિલ રાજુ જોશી રહે.મોટા દહીસરા તેમજ વાહન નંબર જીજે ૩ બીટી ૭૧૮૩ નો ડ્રાઇવર વિજા ઉર્ફે ચકો મગનભાઇ સાલાણી રહે, વવાણિયા વાળાની ધરપકડ કરેલ છે

 






Latest News