મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત ! વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબી નજીક કારખાનામાં ચાલુ વીજ લાઈનને કટ કરીને 40,000 ના કેબલ વાયરની ચોરી
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામે વાડી ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે આધેડનું હાર્ટ એટેકથી આધેડનું મોત


SHARE







હળવદના ટીકર ગામે વાડી ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે આધેડનું હાર્ટ એટેકથી આધેડનું મોત

હળવદના ટીકર ગામે વાડી વિસ્તારમાં યુવાનને કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જે બનાવની મૃતક યુવાનના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ટીકર ગામની સીમમાં આવેલ કાનજીભાઈ સંતોકીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સંજયભાઈ કાંતિયાભાઈ ભીલ (18) નામનો યુવાન રાત્રિના સમયે રાજેશભાઈ કાચરોલાની વાડીએ હતો ત્યારે ત્યાં તેને કોઈ ઝેરી જનાવર કરડી જવાના કારણે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પિતા કાંતિયાભાઈ ભીલ (55) રહે. હાલ ટીકર ગામની સીમ કાનજીભાઈ સંતોકીની વાડીએ તાલુકો હળવદ વાળાએ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હાર્ટ એટેકથી આધેડનું મોત

વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે રોડ પર આવેલ મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા (55) વર્ષના આધેડ બેભાન હાલતમાં મળી આવ્યા હતા જેથી તેને 108 મારફતે સારવાર માટે ચોટીલાની સરકારી હોસ્પિટલ ખાતે બેભાન હાલત લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને હાર્ટ એટેકથી આધેડનું મોત નીપજયું હોવાનું સામે આવ્યું હોય તે અંગેની જાણ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News