મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે ભંગારના ડેલામાં ટ્રકની ડિઝલની ટાંકીમાં બ્લાસ્ટ થયા દાઝી ગયેલા ચાર પૈકીનાં યુવાનનું મોત


SHARE











મોરબીના પીપળી ગામે ભંગારના ડેલામાં ટ્રકની ડિઝલની ટાંકીમાં બ્લાસ્ટ થયા દાઝી ગયેલા ચાર પૈકીનાં યુવાનનું મોત

મોરબીના પીપળી ગામના બસ સ્ટેશન સામે આવેલ ભંગારના ડેલા મજૂરી કામ કરતાં પિતાને બોલાવવા માટે યુવાન ગયો હતો ત્યારે તેના પિતા ગેસ કટર મશીનથી કામ કરી રહ્યા હતા દરમ્યાન ડિઝલની ટાંકીમાં આગ લાગી હતી જેથી કરીને બ્લાસ્ટ થયો હતો અને યુવાન તેના પિતા અને ભંગારના ડેલાનો માલિક તેમજ તેનો દીકરો દાઝી ગયો હતો જેથી તે ચારેયને સારવાર માટે ખસેડાયા હતા અને હાલમાં વધુ ગંભીર રીતે દાઝી ગયેલા યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત નીપજયું  છે જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મુળ પોરબંદરના કડશના રહેવાસી અને હાલ પીપળી ગામ ગજાનંદ પાર્ક સોસાયટીમાં રહેતા ભરતભાઇ વિક્રમભાઇ વાઘેલા (૨૨)એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે, તેનો ભાઈ રણછોડ ઉર્ફે રાજુ વિક્રમભાઇ વાઘેલા (૧૮) પીપળી ગામના બસ સ્ટેશન સામે આવેલ ભંગારના ડેલા પાસે ગત તા. ૨૮/૦૪ ના રોજ બપોરના સમયે પોતાના પિતા વિક્રમભાઇ વાઘેલા જે પીપળી ગામના બસ સ્ટેશન સામે આવેલ ભંગારના ડેલામા મજુરી કામ કરે  છે ત્યાં બોલાવવા માટે ગયેલ હતો ત્યારે વિક્રમભાઇ ત્યા ગેસ કટરથી ટ્રકને કાપતા હતા અને ત્યા બાજુમા રણછોડ ઉર્ફે રાજુ તથા ભંગારના ડેલાના માલીક ઇનુશભાઇ તથા તેમનો દિકરો ઉભા હતા ત્યારે બાજુમા પડેલ ડિઝલની ટેકમા કોઇ પણ કારણસર આગ લાગતા એકદમ બ્લાસ્ટ થયો હતો અને રણછોડ ઉર્ફે રાજુ, તેના પિતા વિક્રમભાઇ, ભંગારના ડેલાના માલીક ઇનુશભાઇ તથા તેમના દિકરા દાઝી જતા પ્રથમ બધાને મોરબી આયુષ હોસ્પીટલમા સારવારમા દાખલ કરેલ હતા અને રણછોડ ઉર્ફે રાજુને વધુ સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું છે હાલમાં પોલીસે સી.આર.પી.સી કલમ ૧૭૪ મુજબ નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News