મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે ભંગારના ડેલામાં ટ્રકની ડિઝલની ટાંકીમાં બ્લાસ્ટ થયા દાઝી ગયેલા ચાર પૈકીનાં યુવાનનું મોત


SHARE









મોરબીના પીપળી ગામે ભંગારના ડેલામાં ટ્રકની ડિઝલની ટાંકીમાં બ્લાસ્ટ થયા દાઝી ગયેલા ચાર પૈકીનાં યુવાનનું મોત

મોરબીના પીપળી ગામના બસ સ્ટેશન સામે આવેલ ભંગારના ડેલા મજૂરી કામ કરતાં પિતાને બોલાવવા માટે યુવાન ગયો હતો ત્યારે તેના પિતા ગેસ કટર મશીનથી કામ કરી રહ્યા હતા દરમ્યાન ડિઝલની ટાંકીમાં આગ લાગી હતી જેથી કરીને બ્લાસ્ટ થયો હતો અને યુવાન તેના પિતા અને ભંગારના ડેલાનો માલિક તેમજ તેનો દીકરો દાઝી ગયો હતો જેથી તે ચારેયને સારવાર માટે ખસેડાયા હતા અને હાલમાં વધુ ગંભીર રીતે દાઝી ગયેલા યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત નીપજયું  છે જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મુળ પોરબંદરના કડશના રહેવાસી અને હાલ પીપળી ગામ ગજાનંદ પાર્ક સોસાયટીમાં રહેતા ભરતભાઇ વિક્રમભાઇ વાઘેલા (૨૨)એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે, તેનો ભાઈ રણછોડ ઉર્ફે રાજુ વિક્રમભાઇ વાઘેલા (૧૮) પીપળી ગામના બસ સ્ટેશન સામે આવેલ ભંગારના ડેલા પાસે ગત તા. ૨૮/૦૪ ના રોજ બપોરના સમયે પોતાના પિતા વિક્રમભાઇ વાઘેલા જે પીપળી ગામના બસ સ્ટેશન સામે આવેલ ભંગારના ડેલામા મજુરી કામ કરે  છે ત્યાં બોલાવવા માટે ગયેલ હતો ત્યારે વિક્રમભાઇ ત્યા ગેસ કટરથી ટ્રકને કાપતા હતા અને ત્યા બાજુમા રણછોડ ઉર્ફે રાજુ તથા ભંગારના ડેલાના માલીક ઇનુશભાઇ તથા તેમનો દિકરો ઉભા હતા ત્યારે બાજુમા પડેલ ડિઝલની ટેકમા કોઇ પણ કારણસર આગ લાગતા એકદમ બ્લાસ્ટ થયો હતો અને રણછોડ ઉર્ફે રાજુ, તેના પિતા વિક્રમભાઇ, ભંગારના ડેલાના માલીક ઇનુશભાઇ તથા તેમના દિકરા દાઝી જતા પ્રથમ બધાને મોરબી આયુષ હોસ્પીટલમા સારવારમા દાખલ કરેલ હતા અને રણછોડ ઉર્ફે રાજુને વધુ સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું છે હાલમાં પોલીસે સી.આર.પી.સી કલમ ૧૭૪ મુજબ નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News