મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે ભંગારના ડેલામાં ટ્રકની ડિઝલની ટાંકીમાં બ્લાસ્ટ થયા દાઝી ગયેલા ચાર પૈકીનાં યુવાનનું મોત


SHARE







મોરબીના પીપળી ગામે ભંગારના ડેલામાં ટ્રકની ડિઝલની ટાંકીમાં બ્લાસ્ટ થયા દાઝી ગયેલા ચાર પૈકીનાં યુવાનનું મોત

મોરબીના પીપળી ગામના બસ સ્ટેશન સામે આવેલ ભંગારના ડેલા મજૂરી કામ કરતાં પિતાને બોલાવવા માટે યુવાન ગયો હતો ત્યારે તેના પિતા ગેસ કટર મશીનથી કામ કરી રહ્યા હતા દરમ્યાન ડિઝલની ટાંકીમાં આગ લાગી હતી જેથી કરીને બ્લાસ્ટ થયો હતો અને યુવાન તેના પિતા અને ભંગારના ડેલાનો માલિક તેમજ તેનો દીકરો દાઝી ગયો હતો જેથી તે ચારેયને સારવાર માટે ખસેડાયા હતા અને હાલમાં વધુ ગંભીર રીતે દાઝી ગયેલા યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત નીપજયું  છે જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મુળ પોરબંદરના કડશના રહેવાસી અને હાલ પીપળી ગામ ગજાનંદ પાર્ક સોસાયટીમાં રહેતા ભરતભાઇ વિક્રમભાઇ વાઘેલા (૨૨)એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે, તેનો ભાઈ રણછોડ ઉર્ફે રાજુ વિક્રમભાઇ વાઘેલા (૧૮) પીપળી ગામના બસ સ્ટેશન સામે આવેલ ભંગારના ડેલા પાસે ગત તા. ૨૮/૦૪ ના રોજ બપોરના સમયે પોતાના પિતા વિક્રમભાઇ વાઘેલા જે પીપળી ગામના બસ સ્ટેશન સામે આવેલ ભંગારના ડેલામા મજુરી કામ કરે  છે ત્યાં બોલાવવા માટે ગયેલ હતો ત્યારે વિક્રમભાઇ ત્યા ગેસ કટરથી ટ્રકને કાપતા હતા અને ત્યા બાજુમા રણછોડ ઉર્ફે રાજુ તથા ભંગારના ડેલાના માલીક ઇનુશભાઇ તથા તેમનો દિકરો ઉભા હતા ત્યારે બાજુમા પડેલ ડિઝલની ટેકમા કોઇ પણ કારણસર આગ લાગતા એકદમ બ્લાસ્ટ થયો હતો અને રણછોડ ઉર્ફે રાજુ, તેના પિતા વિક્રમભાઇ, ભંગારના ડેલાના માલીક ઇનુશભાઇ તથા તેમના દિકરા દાઝી જતા પ્રથમ બધાને મોરબી આયુષ હોસ્પીટલમા સારવારમા દાખલ કરેલ હતા અને રણછોડ ઉર્ફે રાજુને વધુ સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું છે હાલમાં પોલીસે સી.આર.પી.સી કલમ ૧૭૪ મુજબ નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News