વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે ભંગારના ડેલામાં ટ્રકની ડિઝલની ટાંકીમાં બ્લાસ્ટ થયા દાઝી ગયેલા ચાર પૈકીનાં યુવાનનું મોત


SHARE

















મોરબીના પીપળી ગામે ભંગારના ડેલામાં ટ્રકની ડિઝલની ટાંકીમાં બ્લાસ્ટ થયા દાઝી ગયેલા ચાર પૈકીનાં યુવાનનું મોત

મોરબીના પીપળી ગામના બસ સ્ટેશન સામે આવેલ ભંગારના ડેલા મજૂરી કામ કરતાં પિતાને બોલાવવા માટે યુવાન ગયો હતો ત્યારે તેના પિતા ગેસ કટર મશીનથી કામ કરી રહ્યા હતા દરમ્યાન ડિઝલની ટાંકીમાં આગ લાગી હતી જેથી કરીને બ્લાસ્ટ થયો હતો અને યુવાન તેના પિતા અને ભંગારના ડેલાનો માલિક તેમજ તેનો દીકરો દાઝી ગયો હતો જેથી તે ચારેયને સારવાર માટે ખસેડાયા હતા અને હાલમાં વધુ ગંભીર રીતે દાઝી ગયેલા યુવાનનું રાજકોટ ખાતે સારવારમાં મોત નીપજયું  છે જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મુળ પોરબંદરના કડશના રહેવાસી અને હાલ પીપળી ગામ ગજાનંદ પાર્ક સોસાયટીમાં રહેતા ભરતભાઇ વિક્રમભાઇ વાઘેલા (૨૨)એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે, તેનો ભાઈ રણછોડ ઉર્ફે રાજુ વિક્રમભાઇ વાઘેલા (૧૮) પીપળી ગામના બસ સ્ટેશન સામે આવેલ ભંગારના ડેલા પાસે ગત તા. ૨૮/૦૪ ના રોજ બપોરના સમયે પોતાના પિતા વિક્રમભાઇ વાઘેલા જે પીપળી ગામના બસ સ્ટેશન સામે આવેલ ભંગારના ડેલામા મજુરી કામ કરે  છે ત્યાં બોલાવવા માટે ગયેલ હતો ત્યારે વિક્રમભાઇ ત્યા ગેસ કટરથી ટ્રકને કાપતા હતા અને ત્યા બાજુમા રણછોડ ઉર્ફે રાજુ તથા ભંગારના ડેલાના માલીક ઇનુશભાઇ તથા તેમનો દિકરો ઉભા હતા ત્યારે બાજુમા પડેલ ડિઝલની ટેકમા કોઇ પણ કારણસર આગ લાગતા એકદમ બ્લાસ્ટ થયો હતો અને રણછોડ ઉર્ફે રાજુ, તેના પિતા વિક્રમભાઇ, ભંગારના ડેલાના માલીક ઇનુશભાઇ તથા તેમના દિકરા દાઝી જતા પ્રથમ બધાને મોરબી આયુષ હોસ્પીટલમા સારવારમા દાખલ કરેલ હતા અને રણછોડ ઉર્ફે રાજુને વધુ સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું છે હાલમાં પોલીસે સી.આર.પી.સી કલમ ૧૭૪ મુજબ નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News