ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતો હેરાન: માર્કેટ યાર્ડમાં ખેડૂત કેન્દ્રમાં બઘડાટી


SHARE











મોરબી જિલ્લામાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતો હેરાન: માર્કેટ યાર્ડમાં ખેડૂત કેન્દ્રમાં બઘડાટી 

મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોમાં સારો વરસાદ થયો હોવાથી હાલમાં ખેડૂતોએ અગાઉ જે વાવણી કરી હતી તે પાકમાં ખાતરની જરૂરિયાત છે અને યુરિયા ખાતર લેવા માટે તેને ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યા છે પરંતુ ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો આવતો ન હોવાથી ખેડૂતો રાત ઉજાગરા કરે છે તેમ છતાં પણ તેઓને ખાતર મળતું નથી જેથી કરીને તેમનો પાકને નુકસાન થાય તેવું હાલમાં ખેડૂતો જણાવી રહ્યા છે

મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે અને કેટલાક વિસ્તારોમાં તો જળબંબાકાર થઈ ગયો તેવી પરિસ્થિતિ હાલમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોમાં ખૂબ સારો વરસાદ થયો છે અને જે ખેડૂતો દ્વારા વાવાઝોડાની અસરના ભાગરૂપે વરસાદ પડ્યો હતો ત્યાર પછી જે ખેડૂતોએ આગોતરી વાવણી કરી હતી તેમના પાકને હાલમાં ખાતર આપવાની જરૂર છે અને વરસાદ પણ સારો થયો છે ત્યારે ખાતર ન મળે તો પાકને નુકસાન થાય તેવી ભીતિ સિવાય રહી છ

આજે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ ખાતે નર્મદા ખેડૂત કેન્દ્ર ખાતે ખેડૂતો વહેલી સવારે ત્રણ અને ચાર વાગ્યાથી ખાતર મેળવવા માટે થઈને લાઈનમાં ઉભા હતા પરંતુ ખાતરનો પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપરથી આવતો ન હોવાના કારણે હાલમાં ખેડૂતોને ખાતર મળતું નથી અને રાત ઉજાગરા કરે તેમ છતાં પણ ખેડૂતોને ખાતર મળતું ન હોવાથી ખાતરના અભાવના કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે

જોકે ખેતીવારી વિભાગના જવાબદાર અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૧૦ હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો મોરબી જિલ્લામાં આવી ગયો છે અને તે ખેડૂતોને આપવામાં આવ્યો છે જોકે હજુ અંદાજે બે હજાર મેટ્રિક ટન ખાતરના જથ્થાની જરૂરિયાત છે જેની સામે હાલમાં ઉપરથી માલ ઓછો આવતો હોવાથી ખેડૂતોને થોડી હાલાકી થઈ રહી છે પરંતુ વહેલા વહેલી તકે તમામ ખેડૂતોને ખાતરનો જથ્થો જરૂરિયાત પ્રમાણે મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે થઈને હાલમાં કામગીરી કરવામાં આવી રહી છે






Latest News