મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી પાલિકા દ્વારા કરાતી રાત્રી સફાઈના કામમાં ભ્રષ્ટાચાર: કોંગ્રેસ


SHARE















મોરબી પાલિકા દ્વારા કરાતી રાત્રી સફાઈના કામમાં ભ્રષ્ટાચાર: કોંગ્રેસ

મોરબી નગરપાલિકા દ્વારા રાત્રી સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે તે શહેરને ગંદકી મુક્ત કરવાનો પ્રયાસ છે તે સારું છે. પરંતુ નગરપાલિકામાં રાત્રી સફાઈ કામમાં મોટા પાયે  ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેવું લોક મુખે ચર્ચાઇ રહયું છે

હાલમાં મોરબી કોંગ્રેસનાં આગેવાનોએ માહિતી આપતા જણાવ્યુ છે કે, રાત્રી સફાઈ કામગીરીમાં માણસો પૂરા હોતા નથી અને ખોટી હાજરી પૂરવામાં આવે છે અને વઘુ માણસો બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. નગરપાલિકા દ્વારા સવારે સફાઈ કરવામાં આવે છે એ જ વિસ્તારમાં રાત્રે સફાઈ કામગીરી કરવામાં આવે છે તે કેટલી વ્યાજબી છે.? કચરા ભરવાના કામમાં રોકાયેલ ડમ્પર પણ રાત્રે મોડું આવે અને કલાકો વઘારે લખે છે ? એ પણ એકમોટો ભ્રષ્ટાચાર છે. રાત્રે સફાઈ કામગીરી કરતા કામદારોના હાજરી પાસ પણ આપવામાં આવતા નથી અને સવારે જે પટાવાળા પાલિકામાં કામ કરે છે એ જ લોકો રાત્રે સફાઈ કામ કરાવે છે તો આ શું એક મોટો  ભ્રષ્ટાચાર નથી ? આમ મોરબી નગરપાલિકાના જવાબદાર અઘિકારીઓ આ ચાલતા ભ્રષ્ટાચારથી  અજાણ છે કે તેમની મીઠી નજર નીચે આ બઘું ચાલી રહ્યું છે.? જો ખરેખર આ બાબતે તપાસ કરવામાં આવે તો રાત્રી સફાઈ કામગીરીમાં ચાલતો ભ્રષ્ટાચાર બહાર આવશે મોરબી પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર આ બાબતે સ્થળ તપાસ કરી  જવાબદારો સામે કડક પગલાં લેશે ખરા ? કે પછી  ચૂંટાયેલા સદસ્યોની  જેમ તેઓ પણ આ કામગીરીમાં ચાલતા ભ્રષ્ટાચારની  ભાગ બટાઈના ભાગીદાર છે.? તેઓ ભાગીદાર છે તેમ માનવામાં આવશે તેમાં કોઈ બેમત નથી તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરૂ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી, તાલુકા કોગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબિયા તથા પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીએ પ્રેસ યાદીમાં જણાવેલ છે.






Latest News