મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મોરબીમાં કામ ધંધો બરોબર ચાલતો ન હોય અંતિમ પગલું ભરીને લેનાર યુવાનનું મોત


SHARE

















મોરબીમાં કામ ધંધો બરોબર ચાલતો ન હોય અંતિમ પગલું ભરીને લેનાર યુવાનનું મોત

મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ પેપર મિલમાં રહીને મજૂરી કામ કરતા મૂળ યુપીના મજુર પરિવારનો યુવાન તેના લેબર કવાટરમાં અંતિમ પગલું ભરી ગયો હતો.જેથી તેનું મોત નિપજયુ હોવાનું પોલીસમાંથી જાણવા મળેલ છે. 

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હાલ મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ અંબાણી પેપર મીલમાં લેબર કવાટરમાં રહેતા અને મૂળ સુરવરગઢ તા.માણેકપુર જી.ચિત્રકૂટ ઉત્તરપ્રદેશના રહેવાસી ધીરજભાઇ અચ્છેલાલ કોલ જાતે આદિવાસી નામના ૩૧ વર્ષના યુવાને તા.૩ ના રોજ તેના લેબર કવાટરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો.જેથી તેનું મોત થતા તેના મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.બાદમાં બનાવ સંદર્ભે મૃતકના પિતા અચ્છેલાલ કોલ (૫૪) હાલ રહે.એડીકોન પેપર મીલ લેબર કવાટર માટેલ રોડ તા.વાંકાનેક જી.મોરબી મૂળ રહે.ઉત્તરપ્રદેશ વાળાએ આ બાબતે મોરબી તાલુકા પોલીસમાં જાણ કરી હતી.જેથી તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા બનાવની નોંધ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે મૃતકનો કામ ધંધો બરોબર ચાલતો ન હોય અને આર્થિક પરિસ્થિતિ નબળી રહેતી હોવાથી મનોમન લાગી આવતા તેણે ઉપરોકત પગલું ભરી લીધું હતું.જેથી તેનું મોત થતા પરિવાર શોકમગ્ન બની ગયો હતો.

વૃદ્ધા સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ નવી ટીંબડી ગામે રહેતા જયાબેન રામજીભાઈ મુછડીયા નામના 68 વર્ષના વૃદ્ધાને વાહન અકસ્માતમાં ઇજા થતા શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.જેના સામે આવ્યું હતું કે ટીંબડી ગામના પાટીયા પાસેથી તેઓ બાઈકના પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં તેમને ઈજા થતાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીના બનાવમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ જૂની કુબેર ટોકીઝની પાછળના ભાગે રહેતા રાણાભાઇ મેઘાભાઇ ભરવાડ નામના ૪૨ વર્ષના યુવાનને મોરબીના માળિયા હાઇવે ટીંબડી ગામના પાટીયા નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી.જેથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ત્યાં સારવાર આપ્યા બાદ પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના એ.એમ. જાપડીયા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.




Latest News