ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં ૭.૦૫ લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીઓને એક વર્ષની સજા-વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા આદેશ


SHARE













મોરબીમાં ૭.૦૫ લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીઓને એક વર્ષની સજા-વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા આદેશ

મોરબીના સ્વેલકો સીરામીક એલ.એલ.પી. ને કાયદેસરના લેણા પેટે કે-માર્ક બીઝસોલ પ્રા.લી.એ આપેલ ૭,૫૦,૫૪૬ ની રકમનો ચેક પરત ફર્યો હતો જે કેસમાં આરોપીઓને એક વર્ષની કેદની સજા અને ફરીયાદીને ચેકની રકમ ૯ ટકા વ્યાજ સહિત વળતર પેટે ચૂકવવાનો મોરબી કોર્ટે આદેશ કર્યો છે.

તાજેતરમાં મોરબી કોર્ટ દ્વારા ચેક રીટર્નના ફોજદારી ફરીયાદમાં મહત્વનો અને દાખલારૂપ ચુકાદો આપેલ છે. કેસની હકીકત જોઈએ તો, ફરીયાદી મોરબીમાં આવેલ સ્વેલ્કો સીરામીક એલ.એલ.પી. ના ભાગીદાર જયદિપભાઈ જમનાદાસભાઈ નિમાવતએ મોરબીમાં આવેલ "કે-માર્ક બીઝસોલ પ્રા. લી. તથા તેના ડાયરેકટર્સ અનુકૂમે ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા અને રોહીત ચતુરભાઈ કાવર સામે સને ૨૦૧૯ માં ટાઈલ્સની ઉધાર ખરીદીની ચુકવણી પેટે આપેલ ચેક રકમ ૭,૫૦,૫૪૬ બેન્ક માંથી રિટર્ન થયો હતો જેથી ફરીયાદીએ આરોપી કંપની "કે-માર્ક બીઝસોલ પ્રા.લી." અને કંપનીના ડાયરેકટર્સ ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા અને રોહિત ચતુરભાઈ કાવર વિરૂધ્ધ મોરબી કોર્ટમાં ફોજદારી કેસ નાં.૫૬૮૮/૨૦૧૯ થી દાખલ કરેલ હતો.

આ કેસ ચાલી જતા, ફરીયાદી ’'સ્વેલ્કો સીરામીક એલ.એલ.પી." વતી રજુ થયેલા પુરાવાઓ અને ફરીયાદીના વકીલ ચિરાગ ડી. કારીઆ દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજુ રાખેલ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને મોરબીના મહે. પ્રિન્સીપાલ સીનીઅર સીવીલ જજ અને એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ એન.એ.ઈજનેર એ આરોપીઓ તે કંપનીના ડાયરેકટર્સ ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા અને રોહીત ચતુરભાઈ કાવરને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ ઉપર ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી નવ ટકાના સાદા વ્યાજ સહીત વળતર પેટે દીન-૩૦ માં ચૂકવી આપવાનો અતિ મહત્વનો અને સીમાચિહન ચુકાદો જાહેર કરેલ છે. આ કેસમાં ફરીયાદી પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી.કારીઆ તથા રવી કે. કારીરોકાયેલ હતા.






Latest News