ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીની જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે જિલ્લા પંચાયત કચેરી ખાતે વિદ્યાર્થીઓએ-વાલીઓને માર્ગદર્શન અપાશે


SHARE













મોરબીની જવાહર નવોદય વિદ્યાલમાં પ્રવેશ માટે જિલ્લા પંચાયત કચેરી ખાતે વિદ્યાર્થીઓએ-વાલીઓને માર્ગદર્શન અપાશે

આવતા વર્ષે (૨૦૨૬-૨૭) વિનામૂલ્યે મોરબીની જવાહર નવોદય વિદ્યાલમાં ધોરણ ૯ અને ૧૧ માં ભણવા માંગતા બાળકો તથા તેમના વાલીઓ માટે ૧ સપ્ટેમ્બરે જિલ્લા પંચાયત ખાતે માર્ગદર્શન બેઠક યોજાશે આ શાળામાં વિનામૂલ્યે અને સારી ગુણવત્તાનું શિક્ષણ મેળવવા ઈચ્છુક જરૂરિયાતમંદ બાળકો, વાલીઓ તથા શિક્ષકોને બેઠકમાં ઉપસ્થિત રહેવા જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિનો અનુરોધ કર્યો છે.

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પંચાયત અને મોરબી અને મોરબીની પીએમશ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય કોઠારીયા સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લામાં આવેલી સરકારી તથા પ્રાઇવેટ શાળાના આચાર્યઓ તથા જેમના બાળકો ધોરણ ૮ અને ૧૦ માં ભણતા હોય તેવા વાલીઓ માટે મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં તા ૧/૦૯/૨૦૨૫ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે રૂમ ન. ૧૧૦, જિલ્લા પંચાયત કચેરી, સો -ઓરડી, શોભેશ્વર રોડ, મોરબી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં જે જરૂરિયાતમંદ બાળકો નવોદય વિદ્યાલયમાં આવતા વર્ષે (૨૦૨૬-૨૭) ઇંગ્લિશ મિડિયમમાં ધોરણ ૯ અને ધોરણ ૧૧ સાયન્સ અને કોમર્સમાં ભણવા માંગતા હોય તેવા બાળકોને વિનામૂલ્યે અને સારી ગુણવત્તાનું શિક્ષણ મળી શકે માટે જિલ્લાની તમામ શાળાના આચાર્ય અથવા તેના પ્રતિનિધિ ઇચ્છુક બાળકોના વાલીઓ તથા ખાસ કરીને બહારથી અલગ-અલગ ફેક્ટરીમાં કામ કરતા  જરૂરિયાતમંદ શ્રમિકો અને કામદારોના બાળકોના વાલીઓને આ માર્ગદર્શન બેઠકમાં ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News