મોરબીમાં શિવધુન મંડળ પરિવાર દ્વારા આયોજિત કથામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો માળીયા (મી)ના ચોરીના ગુનામાં ફરાર આરોપી પકડાયો ટંકારામાં દુકાનમાંથી 53 હજારથી વધુની તમાકુના ડબ્બાની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ મોરબીની યુવતી સાથે સ્નેપચેટથી સંપર્કમાં આવીને અપહરણ કરીને દુષ્કર્મ આચારવાના ગુનામાં આરોપીની ધરપકડ મોરબી શહેરના વિવિધ પેન્શન-સહાય યોજનાના લાભાર્થીઓની હયાતીની ઓનલાઈન ખરાઈ કરાવવી ફરજિયાત હળવદ તાલુકાના પીએમ પોષણ યોજનાના વિવિધ કેન્દ્રોમાં સંચાલકની ખાલી જગ્યાઓ માટે ૧ જૂન સુધી અરજી કરી શકાશે મોરબીના પીપળી ગામથી અજાણ્યા પુરુષની લાશ મળી; મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ 10 કિલો મીટરનો ધક્કો કરીને ડીઝલ લેવા આવી અને 2 હાજરનું ડીઝલ આપે આમ ખેતી કરવી કેમ: ચરાડવાના ખેડૂતના હાલબેહાલ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરસરા ગામે તળાવના પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત: મોટા દહિસરા ગામે એસિડ પી જતા માનસિક અસ્વસ્થ વૃદ્ધનું મોત


SHARE











માળીયા (મી)ના ખીરસરા ગામે તળાવના પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત: મોટા દહિસરા ગામે એસિડ પી જતા માનસિક અસ્વસ્થ વૃદ્ધનું મોત

માળીયા મીયાણા તાલુકાના ખીરસરા ગામે તળાવના વહેણમાં નાહવા માટે ગયેલા વૃદ્ધ પાણીમાં ડૂબી જતા તેનું મોત નિપજ્યું હતું જ્યારે મોટા દહીસરા ગામે આવેલ વિવેકાનંદનગરમાં રહેતા વૃદ્ધ માનસિક બીમારી હોય માનસિક રીતે અશ્વસ્થ રહેતા હતા અને તેઓ પોતાની જાતે એસિડ પી જતા તેનું મોત નીપજ્યું હતું આ બંને બનાવની માળિયા તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મીયાણા તાલુકાના ખીરસરા ગામે રહેતા માનભાઈ ભગાભાઈ વાઘેલા (60) નામના વૃદ્ધ ગામ પાસે આવેલ તળાવના પાણીના નિકાલના વહેણમાં નાહવા માટે થઈને ગયા હતા ત્યારે ત્યાં કોઈ પણ કારણોસર પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેમના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે આવેલ વિવેકાનંદનગરમાં રહેતા રવુભા મોમૈયાજી જાડેજા (83) નામના વૃદ્ધ છેલ્લા પાંચેક મહિનાથી માનસિક બીમારીથી પીડાતા હતા અને માનસિક રીતે અશ્વસ્થ રહેતા હોય પોતે પોતાની જાતે ઘરે એસિડ પી ગયા હતા જેથી તેમનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મૃતક વૃદ્ધના દીકરા મંગળસિંહ રવુભા જાડેજા રહે. વિવેકાનંદનગર મોટા દહીસરા વાળાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News