ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

વાંકાનેરના પલાસ ગામે જુગારની રેડ થતાં જુગારીઓમાં નાસભાગ. ત્રણ પકડાયા, પાંચ નાસી ગયા !


SHARE













વાંકાનેરના પલાસ ગામે જુગારની રેડ થતાં જુગારીઓમાં નાસભાગ. ત્રણ પકડાયા, પાંચ નાસી ગયા !

વાંકાનેર તાલુકાના પલાસ ગામે મંદિરની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે તાલુકા પોલીસ દ્વારા જુગારની રેડ કરવા ગઇ હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી અને આઠમાંથી પાંચ જુગારીઓને પોલીસે જોઈને નાસી છૂટયા હતા જેથી કરીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને હાલમાં ૧૨૧૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે 

 બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પલાસ ગામે આવેલ મહાદેવ મંદિરની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા જુગારની રેડ કરી હતી ત્યારે સતિષભાઈ ગોરધનભાઈ કુણપરાવાલજીભાઈ ભનુભાઈ કુણપરા અને જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતેશભાઈ સતાભાઈ ગમારા જુગાર રમતા મળ્યા હતા માટે પોલીસે ૧૨૧૦૦ ની રોકડ કબજે કરી છે અને નાસી છૂટેલા જુગારીઓમાં મનુભાઈ બાબુભાઇ લાંબરીયાભગુભાઈ નથુભાઈ કુણપરાભરતભાઈ માધાભાઈ કુણપરામહેશભાઈ કુકાભાઈ લાંબરીયા અને મનસુખભાઈ ચોથાભાઈ છત્રોલિયાનો સમાવેશ થાય છે.આ જુગારીઓને પકડવા માટે પોલીસે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરે છે જોકે હાલમાં પોલીસે ૧૨૧૦૦ ની રોકડ કબજે કરી છે 

મારામારીમાં ત્રણને ઇજા 

મોરબીના લીલાપર ગામે રહેતા સંજય જગજીવન થરેસા (૩૨)જયાબેન જગજીવનભાઈ થરેસા (૫૪) અને સોનલબેન રણજીતભાઈ દેગામા (૨૮) ને ગામમાં બનેલા મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવારમાં અહીંની સિવિલ હોસ્પિટલે લવાયા હતા.જ્યારે મોરબીના રવાપર ગામ પાસે આવેલા બોનીપાર્ક વિસ્તારમાં નંદિની એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષિદાબેન હિમાંશુભાઈ વિઠલાપરા નામની ૨૮ વર્ષીય મહિલાએ કોઈ અજાણી દવાની વધુ પડતી ગોળીઓ ખાઇ લેતાં તેણીને સારવારમાં મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. હર્ષિદાબેનનો લગ્નગાળો દોઢ વર્ષનો જ હોવાનું પણ જાણવા મળ્યું છે હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News