વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ મોરબી વાંકાનેર હાઇવે ઉપર બાપાસીતારામની મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વર્ષ પહેલા જેને પ્લોટ સનદથી આપ્યા તેવા ૩૯ આસામીઓને ઘર ખાલી કરવા પોલીસે આઈ નોટીસ !


SHARE











મોરબીમાં વર્ષ પહેલા જેને પ્લોટ સનદથી આપ્યા તેવા ૩૯ આસામીઓને ઘર ખાલી કરવા પોલીસે આઈ નોટીસ !

મોરબીમાં સોઓરડી અંદર આવેલ રામદેવપીર મંદિરની બાજુમાં છેલ્લા ૬૦ વર્ષથી રહેતા ૩૯ સામાન્ય પરિવારોને હાલમાં ઘર ખાલી કરવાની અચાનક નોટિસ આપવામાં આવી છે જેથી કરીને સ્થાનિક લોકોએ ભાજપના ધારાસભ્ય અને પાલિકાના માજી સભ્યોને સાથે રાખીને કલેક્ટરને આ મુદે રજૂઆત કરી હતી અને જરૂરી પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા

મોરબીમાં સોઓરડી પાસે આવેલ રામદેવપીર મંદિર પાસે આજ કાલથી નહીં પરંતુ છેલ્લા ૬૦ વર્ષથી રહેલા ૩૯ પરિવારોને મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા મકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. જેમાં પોલીસે જણાવ્યું છે કે, આ મકાનો અને પ્લોટ ગેરકાયદે છે અને લેન્ડગ્રેબીગની ફરિયાદ થઈ હોવાનું કહીને મકાનો ખાલી કરવા કહેવામા આવ્યું છે જેથી કરીને જે પરિવારોને નોટિસ આપવામાં આવી છે જે પરિવારના લોકોએ ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, અમે પાલિકાના માજી સભ્ય ગિરિરાજસિંહ ઝાલા, મનસુખભાઇ બરાસરા, ગૌતમભાઈ સોલંકી, સુરેશભાઇ સીરોહિયા તેમજ ભાજપના આગેવાન જયોતિસિંહ જાડેજા સહિતના અગ્રણીઓને સાથે રાખી અધિક કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે અને તે જમીનને લગતા જરૂરી આધાર પુરાવાઓને પણ સ્થાનિક લોકો દ્વારા અધિકારી સમક્ષ મૂકવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વર્ષ ૧૯૬૩ અને ૧૯૭૩ માં સનદથી પ્લોટ આપવામાં આવ્યા છે જેમાં કુલ 39 પ્લોટમાંથી ૨૪ માં મકાન બનેલ છે અને ૧૫ પ્લોટ હજુ પણ ખુલ્લા જ છે ત્યારે સ્થાનિક લોકોને ન્યાય કરવાની માંગ કરવામાં આવી છે






Latest News