લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં પ્રેમ સંબંધ બાબતે યુવાન ઉપર થયેલ હુમલાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી


SHARE

















મોરબીના લાતી પ્લોટમાં પ્રેમ સંબંધ બાબતે યુવાન ઉપર થયેલ હુમલાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં યુવાન ઉપર છરી તેમજ પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને તેને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં કુલ ત્રણ પૈકીનાં બે શખ્સની સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને એક બાળકિશોર હોય તેની સામે પણ નિયમનુસાર કાર્યવાહી કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટમાં શેરી નં-૨ માં અમિત સુરેશભાઈ ઝિંઝુવાડીયા કોળી (૨૪) રહે. ગણેશનગર વાવડી રોડ મોરબી વાળા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગણેશનગર વિસ્તારમાં રહેતા ભરત ડાભી, હેમંતભાઈ ડાભી સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે રાજન ડાભીએ તેને કહ્યું હતું કે મારી બહેન સાથે પ્રેમ સંબંધ કેમ રાખે છેતેમ કહીને ઝઘડો બોલાચાલી કરી હતી ગાળો આપી હતી અને ઢિકાપાટુ અને લાતો વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને ફરિયાદીને છરી વડે માથાના ભાગે ઘા મારીને ઇજા કરી હતી અને ભરત ડાભીએ પાઇપ વડે માર માર્યો હતો જેથી કરીને અમિત કોળીએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી ભરત અવચરભાઈ ડાભી (૩૫) અને હેમત અવચરભાઈ ડાભી (૩૭) રહે. બંને ગણેશનગર વાવડી રોડ મોરબી વાળાની સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને મારામારીના આ ગુનામાં એક બાળકિશોરનો સમાવેશ થતો હોય તેને સામે તે બીટ વિસ્તારના જમાદાર એ.એમ. જાપડીયા દ્વારા નિયમનુસાર કાર્યવાહી કરવામાં હતી




Latest News