મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં પ્રેમ સંબંધ બાબતે યુવાન ઉપર થયેલ હુમલાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી


SHARE











મોરબીના લાતી પ્લોટમાં પ્રેમ સંબંધ બાબતે યુવાન ઉપર થયેલ હુમલાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં યુવાન ઉપર છરી તેમજ પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને તેને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં કુલ ત્રણ પૈકીનાં બે શખ્સની સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને એક બાળકિશોર હોય તેની સામે પણ નિયમનુસાર કાર્યવાહી કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટમાં શેરી નં-૨ માં અમિત સુરેશભાઈ ઝિંઝુવાડીયા કોળી (૨૪) રહે. ગણેશનગર વાવડી રોડ મોરબી વાળા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગણેશનગર વિસ્તારમાં રહેતા ભરત ડાભી, હેમંતભાઈ ડાભી સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે રાજન ડાભીએ તેને કહ્યું હતું કે મારી બહેન સાથે પ્રેમ સંબંધ કેમ રાખે છેતેમ કહીને ઝઘડો બોલાચાલી કરી હતી ગાળો આપી હતી અને ઢિકાપાટુ અને લાતો વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને ફરિયાદીને છરી વડે માથાના ભાગે ઘા મારીને ઇજા કરી હતી અને ભરત ડાભીએ પાઇપ વડે માર માર્યો હતો જેથી કરીને અમિત કોળીએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી ભરત અવચરભાઈ ડાભી (૩૫) અને હેમત અવચરભાઈ ડાભી (૩૭) રહે. બંને ગણેશનગર વાવડી રોડ મોરબી વાળાની સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને મારામારીના આ ગુનામાં એક બાળકિશોરનો સમાવેશ થતો હોય તેને સામે તે બીટ વિસ્તારના જમાદાર એ.એમ. જાપડીયા દ્વારા નિયમનુસાર કાર્યવાહી કરવામાં હતી






Latest News