લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે આવેલ કાપડની દુકાનેથી વેપારી યુવાન ગુમ


SHARE

















મોરબીના શનાળા રોડે આવેલ કાપડની દુકાનેથી વેપારી યુવાન ગુમ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રાધા પાર્ક સોસાયટીમાં રહેતો અને સનાળા રોડ ઉપર કપડાની દુકાન ધરાવતો યુવાન કોઈ કારણોસર ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં ગુમ થયેલા યુવાનના પત્નીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુમ થયેલા યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રાધાપાર્ક સોસાયટીમાં રહેતા તેજલબેન કરણભાઈ બારડ જાતે રજપુત (૨૪)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ગુમસુધા ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, તેઓના પતિ કરણભાઈ અનિલભાઈ બારડ જાતે રજપૂત (૨૫) રહે. રાધાપાર્ક વાળા મોરબીના સનાળા રોડ ઉપર આવેલ શ્લોક કોમ્પ્લેક્સમાં તેની કપડાની દુકાનેથી કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેથી કરીને યુવાનના પત્નીએ આપેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે ગુમ થયેલા યુવાને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

ફિનાઇલ પીધું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા મંજુબેન રણછોડભાઈ જાદવ (૫૦) નામના આધેડ મહિલાએ પોતે ઘરે હતા ત્યારે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી અને વધુમાં પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ બીપીની બીમારીથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું છે તેવું પ્રાથમિક તપાસવા સામે આવેલ છે

મારા મારીમાં ઇજા

મોરબીના લાલપર ગામ પાસે આવેલ મિલેનિયમ સીરામીક નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇમરાન તોફિક પઠાણ (૩૨) નામના યુવાનને ઇજા થઇ હોવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ સબળસિંહ સોલંકી દ્વારા કરવામાં આવી હતી




Latest News