મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો મોરબી જીલ્લામાં રેડ કરીને 3 બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા અટકાવાયા નેશનલ ડોક્ટર્સ ડે: મોરબી મહાપાલિકા-આઇએમએ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સના ૩૦ માં ફાઉન્ડેશન-ડે ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી મોરબી જિલ્લામાં સીએ-સીએસનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 15 હજારની શિષ્યવૃત્તિ અપાશે: જીલ્લા પંચાયત
Breaking news
Morbi Today

અમદાવાદથી બહેનના ઘરે આવેલ યુવતીએ અણધાર્યુ પગલુ ભર્યુ


SHARE

















અમદાવાદથી બહેનના ઘરે આવેલ યુવતીએ અણધાર્યુ પગલુ ભર્યુ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મીરા પાર્કમાં રહેતી બહેનના ઘરે અમદાવાદથી આવેલ નાની બહેને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને તેના મોટા બહેન મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉના તાલુકાના ગાગડા ગામના રહેવાસી અને હાલમાં અમદાવાદ ખાતે રહેતા અને અભ્યાસ કરતા હિરલબેન પ્રવીણભાઈ રાઠોડ જાતે અનુ.જાતિ (૧૮)એ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મીરા પાર્ક-૨ ખાતે રહેતા તેના મોટા બહેન ટ્વિંકલબેન પ્રવીણભાઈ રાઠોડ (૨૪)ના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ મૃતક યુવતીના મોટા બહેને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે અને તેઓની પાસેથી જાણવા મળતી માહિતિ પ્રમાણે મૃતક હિરલબેન અમદાવાદ ખાતે રહીને અભ્યાસ કરે છે અને તે ત્યાંથી પોતાના મોટા બહેન ટ્વિંકલબેન મોરબી તાલુકાના ગાળા ગામે આરોગ્ય વિભાગમાં કામ કરે છે જે મોરબીના મીરા પાર્કમાં રહે છે ત્યાં તેના ઘરે આવ્યા હતા અને તેને કોઈપણ કારણોસર ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે વધુમાં મળતી માહિતિઉ મુજબ મૃતક યુવતીના માતા પિતા બોમ્બે રહે છે અને તેનો એક નાનો ભાઈ છે જે તેઓની સાથે રહે છે જોકે, ત્રણ બહેનો અભ્યાસ કરે છે અને મોટા બહેન ટ્વિંકલબેન મોરબી ખાતે નોકરી કરે છે તેવી વિગતો સામે આવેલ છે અને આ યુવતીએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે

યુવાન સારવારમાં
મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં આવેલ વેલી નામના કારખાનામાં રહેતા મજૂરી કામ કરતા મુકેશ કમનજીભાઈ ઓહડીયા (૩૫) નામના યુવાનને સાપ કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજ ભાઈ સુમરા દ્વારા કરવામાં આવેલ છે



Latest News