મોરબીના ભડીયાદ ગામ પાસે વોકળાના પાણીમાંથી કોહવાય ગયેલ હાલતમાં અજાણ્યા યુવાનની લાશ મળી
મોરબી : ગુજરાત રાજ્યમાં સીલીકોસીસ પુનર્વસન નીતી ઘડવા ધારાસભ્ય સમક્ષ સીલીકોસીસ પીડીત સંઘની રજૂઆત
SHARE






મોરબી : ગુજરાત રાજ્યમાં સીલીકોસીસ પુનર્વસન નીતી ઘડવા ધારાસભ્ય સમક્ષ સીલીકોસીસ પીડીત સંઘની રજૂઆત
રાજસ્થાન સરકાર, પશ્ચિમ બંગાળ સરકાર , હરીયાણા સરકાર , ઝારખંડ સરકાર , છત્તીસગઢ સરકાર સીલીકોસીસ પીડીતો માટે પુનર્વસનની નીતી બનાવેલ છે અને લાગુ કરેલ છે તેવી રીતે ગુજરાત સરકાર પણ ઘડી અને લાગુ કરે તેવી માગણી ઘણા સમયથી સીલીકોસીસ પીડીતો કરી રહ્યા છે.રાષ્ટ્રીય માનવ અધીકાર પંચ ( NHRC ) દ્વારા ૨૦૧૭માં ગુજરાત સરકારને સીલીકોસીસ પીડીતો માટે પુનર્વસનની નીતી ઘડી લાગુ કરવા ભલામણ કરી હતી અને તેપછી અવાર નવાર પંચ તેનું સ્મરણ સરકારને કરાવે છે. આ ભલામણ સ્વીકારી વહેલી તકે ગુજરાત સરકાર સીલીકોસીસ પીડીતો માટે નીતી બનાવે અને લાગુ કરે જેથી સીલીકોસીસ પીડીતોનું જીવન સહ્ય બને.પોતાના મતવીસ્તારની આ ગંભીર સમસ્યા અંગે સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી ગુજરાત સરકાર સીલીકોસીસ પુનઃવસન નીતી બનાવે તે માટે પોતાની વગ અને વજન વાપરે તેવી માગણી સંઘ કરે છે.


