ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત મોરબીમાં પોલીસ સ્ટેશન સામેથી બાઈકની ચોરી કરનાર આરોપી ઝડપાયો મોરબીની પંચાસર અને અવની ચોકડી પાસે અકસ્માતના જુદા જુદા બે બનાવમાં પાંચ વ્યક્તિને ઇજા: બે કાર ચાલક સામે ફરિયાદ મોરબી જિલ્લામાં વ્યક્તિગત પક્ષાપક્ષીનો ભોગ બની રહ્યા છે યોગ બોર્ડમાં જોડાનાર ટ્રેનરો મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત મોરબી ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ માધાપરવાડી શાળાની મુલાકાત લીધી મોરબીમાં નવયુગ કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો
Breaking news
Morbi Today

હળવદના કવાડિયા ગામે માતા-પિતાએ કામ ધંધો કરવાનું કહેતા યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE





હળવદના કવાડિયા ગામે માતા-પિતાએ કામ ધંધો કરવાનું કહેતા યુવાને અણધાર્યું પગલું ભર્યું

હળવદના કવાડિયા ગામે રહેતો યુવાન કોઈ કામ ધંધો કરતો ન હતો જેથી તેના માતા પિતાએ તેને કામ ધંધો કરવા માટેનું કહ્યું હતું અને તે યુવાનને સારું નહીં લાગતા યુવાને પોતે પોતાની જાતે તેના રહેણાંક મકાનમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના કાવડિયા ગામે રહેતા ઝાલાભાઇ હેમુભાઇ વાઘેલા (23) નામના યુવાને પોતે પોતાના મકાનમાં પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના પત્ની સમજુબેન ઝાલાભાઇ વાઘેલા (21) રહે. કવાડિયા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન કોઈ કામ ધંધો કરતો ન હતો જેથી તેના માતા-પિતાએ તેને કામ ધંધો કરવા માટે કહ્યું હતું અને તે યુવાનને મનોમન લાગી આવતા યુવાને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News