માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને સાંત્વના પાઠવવા સાથે જાગૃતિ અભિયાન


SHARE















મોરબી જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને સાંત્વના પાઠવવા સાથે જાગૃતિ અભિયાન

કોરોનાની બીજી લહેરની ભયંકર અસરને ધ્યાને લઈને સંભવિત ત્રીજી લહેરના આવે અને કદાચ આવે તો પણ તેમાં ખુબ જ ઓછા લોકો તેનાથી પ્રભાવિત થાય તેમજ લોકોનું કોરોનાથી કેવી રીતે રક્ષણ થાય તે બાબતે બચાવ તેમજ સાવચેતીના પગલાની સમજુતીના શુભ આશયથી રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષા મીનાક્ષી નટરાજનજીના આદેશથી ડોર ટુ ડોર સંપર્ક તેમજ મૃતકોના સ્વજનોને સાંત્વના પાઠવવાના કાર્યક્રમો સમગ્ર દેશમાં શરુ કરવામાં આવેલ છે.

તે અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાજી તેમજ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીજીના આદેશ અનસાર સમગ્ર ગુજરાત ભરમાં આ મુહિમ ચાલુ કરવાના ભાગ રૂપે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સેક્રેટરી અને સૌરાષ્ટ્ર ઇન્ચાર્જ કાન્તિલાલ ડી. બાવરવા તેમજ ક્રિષ્ના પટેલ દ્વારા મોરબી જીલ્લાના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર સંપર્ક ચાલુ કરવામાં આવેલ છે. અને આજ સુધીમાં કાંતિપુર, બીલીયા, નાનાભેલા, ખીરસરા, તરઘડી જેવા ગામો તેમજ  મોરબી નગર પાલિકા વોર્ડ નં. ૪ ના વિવિધ વિસ્તારમાં આ સંપર્ક કરવામાં આવેલ છે અને હજુ પણ જુદા જુદા ગામોમાં તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં આ કાર્ય દરરોજ ચાલુ જ છે.

આ કાર્યમાં લોકોને કોરોનાથી કેવી રીતે બચવું, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, વારંવાર હાથ ધોવા, ઉપરાંત કોરોના થયો હોય ત્યારે કેવી રીતે કાળજી લેવી તેમજ વેક્સીન અવશ્ય લેવા સમજાવવામાં આવે છે. તેમજ મૃતકોના સ્વજનોને સાંત્વના પણ પાઠવવામાં આવે છે. આ કાર્ય મોરબી જીલ્લાના દરેક ગામ અને શહેરોમાં જુદી જુદી ટીમો દ્વારા દરેક ઘર સુધી પહોચવાની નેમ સાથે ચાલી રહ્યું છે. આ સાથે પ્રદેશ સમિતિ દ્વારા છપાવવામાં આવેલ એક માહિતી પત્રિકાનું વિતરણ પણ દરેક ઘરે કરવામાં આવી રહ્યું છે આટલું જ નહિ  આ કાર્યમાં સેવાભાવી લોકો હોંશભેર જોડાઈને પોતાનું યોગદાન આપી રહ્યા છે






Latest News