પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

હળવદ બ્રહમાકુમારી સેવા કેન્દ્ર દ્વારા શાંતિ પદયાત્રાનું આયોજન કરાયુ


SHARE















હળવદ બ્રહમાકુમારી સેવા કેન્દ્ર દ્વારા શાંતિ પદયાત્રાનું આયોજન કરાયુ

બ્રહ્માકુમારીઝ દ્વારા બિલિયન મિનટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ (મહા શાંતિદાન) અંતર્ગત સમગ્ર ગુજરાત ઝોનમાં શાંતિ પદયાત્રાનું આયોજન કરેલ હતું.જે અનુંસંધાને હળવદ બ્રહમાકુમારી સેવા કેન્દ્ર દ્વારા પણ શાંતિ પદયાત્રાનું આયોજન કરાયેલ હતું.જેનો ઉદેશ શાંતિનું મહત્વ સમજાવી વિશ્વમાં ચાલી રહેલ અશાંતિ અરાજકતા તણાવ કારભારનો બોજ વગેરેમાં શાંતિ દાન (સકારાત્મક વિચારોનું ચિંતન) તન મનને દુરસ્ત તેમજ જીવનને નવી ઉર્ઝા પ્રદાન કરે છે.સાથે સાથે સુખ પહેલા શાંતિ મહત્વની છે જે માટે આત્મિકચિંતન જ સાચી રાહ આપે છે.તો શાંતિના દિવ્ય સંદેશ સાથે યોજાયેલ આ પદયાત્રામાં શાંતિમય ગીતો સાથે સર્વને આત્મા પરમાત્મા અને પરમધામનો પરિચય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેમાં બ્રહ્માકુમારી સેવાકેન્દ્રના સંચાલિકા સહિત સર્વે સેવાધારીએ સામેલ થઇને આ દિવ્ય શાંતિદાન સંદેશ માટે નિમિત્ત બન્યા હતા તથા સર્વે આત્માઓને આ નિઃશુલ્ક શાંતિદાન કાર્યક્રમમાં જોડાવા ઈશ્વરીય નિમંત્રણ આપેલ છે






Latest News