મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ભારત ઉપરાંત કયાં દેશોમાં ઉજવાઇ છે દશેરા ?


SHARE











ભારત ઉપરાંત કયાં દેશોમાં ઉજવાઇ છે દશેરા ?

દશેરા આમ તો હિન્દૂ ધર્મનો પ્રાચીન તહેવાર છે અને દશેરાના તહેવારને ભગવતીના નામ વિજયા પરથી વિજયાદશમી પણ કહેવામાં આવે છે. અને દશેરાના દિવસે રાવણનું દસ માથાવાળું પૂતળું બાળવામાં આવે છે. આમ દશેરાનો તહેવાર એ અસત્ય પર સત્યની જીત માટેના પ્રતીકનો તહેવાર ગણાય છે

એવું માનવામાં આવે છે કે આસો શુક્લ દશમીના દિવસે તારો ઉદય થતા સમય વિજય નામનો કાળ હોય છેઆ કાળ સર્વકાર્ય માટે સિધ્ધદાયક હોય છે.તેથી પણ તેને વિજયાદશમી કહેવામાં આવે છે. વધુમાં કહીએ તો વિજયાદશમી એટલે રાવણ રૂપી આસુરી તત્વો પર રામ રૂપી દૈવી તત્વોના વિજયની ઉજવણીનું પર્વ.ભારત સિવાય આ તહેવાર નેપાળ અને બાંગ્લાદેશમાં પણ ઉજવવામાં આવે છે. આ દિવસે રાવણની સાથે સાથે તેના બે ભાઈઓ કુંભકર્ણ અને મેગનાથના પૂતળાને પણ રાખવામાં આવે છે. આ તહેવાર સાથે એક પ્રાચીન કથા જોડાયેલ છે.

મહિસાસુર નામનો એક અસુર હતો.મહિસાસુરનો અર્થ થાય જંગલી ભેંસ.મહિસાસુરે પુરા બ્રહ્માંડ પર વિજય મેળવવા માટે તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપ કર્યું.તેના તપથી પ્રસન્ન થઈ ને બ્રહ્માજીએ તેને સદા અમર રહેવાનું વરદાન આપ્યું હતું અને વરદાન મળવાથી મહિસાસુર લોકોને વધારે પરેશાન કરનાર બની ગયો હતો મહિસાસુરે પોતાનો જુલમ એટલો બધો ફેલાવ્યો કે આખા બ્રહ્માંડના દેવી દેવતાઓ બધા તેનાથી ધ્રુજવા લાગ્યા અને દેવી દુર્ગાને શરણે ગયા.મહિસાસુરથી બચવા માટે બધા દેવીએ તેમની બધી વસ્તુઓ દેવી દુર્ગાને આપી હતી અને પછી દેવી દુર્ગામહિસાસુરને પૂર્ણ કરવા માટે નવ દિવસ સુધી તેના સાથે દ્વંદ્વ ખેલ્યું હતું અને છેવટે તેનો અંત આવ્યો હતો અને મહિસાસુરનો ખેલ પૂરો થયા પછી દુર્ગા માતા મહિસાસુરમર્દીની કહેવાયા હતા અને તે સમયથી નવરાત્રી પછી દસમે દિવસે દશેરા મનાવામાં આવે છે






Latest News