મોરબીના જેતપર રોડેથી શંકાસ્પદ ૧૬ ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવ સાથે એક ઝડપાયો
ભારત ઉપરાંત કયાં દેશોમાં ઉજવાઇ છે દશેરા ?
SHARE









ભારત ઉપરાંત કયાં દેશોમાં ઉજવાઇ છે દશેરા ?
દશેરા આમ તો હિન્દૂ ધર્મનો પ્રાચીન તહેવાર છે અને દશેરાના તહેવારને ભગવતીના નામ વિજયા પરથી વિજયાદશમી પણ કહેવામાં આવે છે. અને દશેરાના દિવસે રાવણનું દસ માથાવાળું પૂતળું બાળવામાં આવે છે. આમ દશેરાનો તહેવાર એ અસત્ય પર સત્યની જીત માટેના પ્રતીકનો તહેવાર ગણાય છે
એવું માનવામાં આવે છે કે આસો શુક્લ દશમીના દિવસે તારો ઉદય થતા સમય વિજય નામનો કાળ હોય છેઆ કાળ સર્વકાર્ય માટે સિધ્ધદાયક હોય છે.તેથી પણ તેને વિજયાદશમી કહેવામાં આવે છે. વધુમાં કહીએ તો વિજયાદશમી એટલે રાવણ રૂપી આસુરી તત્વો પર રામ રૂપી દૈવી તત્વોના વિજયની ઉજવણીનું પર્વ.ભારત સિવાય આ તહેવાર નેપાળ અને બાંગ્લાદેશમાં પણ ઉજવવામાં આવે છે. આ દિવસે રાવણની સાથે સાથે તેના બે ભાઈઓ કુંભકર્ણ અને મેગનાથના પૂતળાને પણ રાખવામાં આવે છે. આ તહેવાર સાથે એક પ્રાચીન કથા જોડાયેલ છે.
મહિસાસુર નામનો એક અસુર હતો.મહિસાસુરનો અર્થ થાય જંગલી ભેંસ.મહિસાસુરે પુરા બ્રહ્માંડ પર વિજય મેળવવા માટે તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપ કર્યું.તેના તપથી પ્રસન્ન થઈ ને બ્રહ્માજીએ તેને સદા અમર રહેવાનું વરદાન આપ્યું હતું અને વરદાન મળવાથી મહિસાસુર લોકોને વધારે પરેશાન કરનાર બની ગયો હતો મહિસાસુરે પોતાનો જુલમ એટલો બધો ફેલાવ્યો કે આખા બ્રહ્માંડના દેવી દેવતાઓ બધા તેનાથી ધ્રુજવા લાગ્યા અને દેવી દુર્ગાને શરણે ગયા.મહિસાસુરથી બચવા માટે બધા દેવીએ તેમની બધી વસ્તુઓ દેવી દુર્ગાને આપી હતી અને પછી દેવી દુર્ગાએ મહિસાસુરને પૂર્ણ કરવા માટે નવ દિવસ સુધી તેના સાથે દ્વંદ્વ ખેલ્યું હતું અને છેવટે તેનો અંત આવ્યો હતો અને મહિસાસુરનો ખેલ પૂરો થયા પછી દુર્ગા માતા મહિસાસુરમર્દીની કહેવાયા હતા અને તે સમયથી નવરાત્રી પછી દસમે દિવસે દશેરા મનાવામાં આવે છે
