લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાયત્રી મંદિર ખાતે કોળી કેરિયર એકેડેમી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો


SHARE

















વાંકાનેરમાં ગાયત્રી મંદિર ખાતે કોળી કેરિયર એકેડેમી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

વાંકાનેરમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે સંસ્કાર ભવનમાં કોળી કેરિયર એકેડેમી દ્વારા સંતો અને આગેવાનોની હાજરીમાં વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા હાજર રહેવાના હતા જો કે, અનિવાર્ય સંજોગોના કારણે તે આવી શક્યા ન હતા. પરંતુ સફળ થયેલ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

વાંકાનેરમાં કોળી કેરિયર એકેડેમી દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં સાળંગપુર ધામના આર્યન ભગત તથા કાળાસર ઠાકરધણીની જગ્યાનાં મહંત વાલજી ભગત તથા પરિવર્તન કોળી કેરિયર એકેડેમી સુરેન્દ્રનગરનાં ડૉ. મુકેશભાઇ મકવાણા, વાંકાનેરના રેન્જ ફોરેસ્ટનાં આરએફઓ જે.જી. મેણીયા તથા વાંકાનેરનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા કોળી સમાજના સામાજીક અને રાજકિય આગેવાનો, વાલીઓ તથા સરકારી કર્મચારીઓ સહિતના હાજર રહ્યા હતા અને તેમના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે સિલ્ડ, પ્રમાણપત્રસતેમજ શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.

ખાસ કરીને વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે જાગૃતતા લાવવા માટે મહંત વાલજી ભગતે પ્રાસંગીક પ્રવચન કર્યુ હતુ. તેમજ સાળંગપુર ધામના આર્યન ભગતે સમાજમાં એકતા આવે, સમાજ વ્યસન મુક્ત થાય, શિક્ષણ સાથે જીવન ઘડતર તેમજ જીવનમા ધર્મનું મહત્વ સમજાવતું પ્રેરક પ્રવચન આપ્યુ હતુ. આ ઉપરાંત સમાજના આગેવાનોએ સમાજના યુવાનો માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાવા માટે આહવાન કરવામાં આવ્યુ હતુ. અને ખાસ કરીને સમાજના દરેક શૈક્ષણિક કાર્યોમાં પૂરતો સહયોગ આપવા હાકલ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોળી કેરિયર એકેડેમી વાંકાનેરની ટીમે જહેમત ઉઠાવી હતી




Latest News