મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ


SHARE











મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ

નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ - ૨૦૨૪ ની જીલ્લાકક્ષાની સ્પર્ધા  "ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી  ગુજરાત  સરકાર)  ગાંધીનગર" પ્રેરિત  મોરબીના "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દરવર્ષની જેમાં આ વર્ષ પણ નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ નું આયોજન કરે છે. નેશનલ રૂરલ આઈ. ટી.ક્વિઝ-૨૪  નું આયોજન કર્ણાટક સરકારના IT, BT, અને S&T વિભાગ દ્વારા દર વર્ષે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ ના સહયોગથી ગુજરાતની શાળાના વિદ્યાર્થીઓ માટે  નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ-૨૦૨૪ નુંઆયોજન કરવામાં આવેલ છે અને નેશનલ રૂરલ આઈ ટી.ક્વિઝ-૨૪ સ્પર્ધા માં મોરબી જીલ્લાકક્ષાની વિવિધ ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક ૨૦ સ્કૂલનાં ૧૯૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં ધો. ૮ થી ૧૨ નાં વિધાર્થીઓએ નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ-'૨૪ માં ભાગ લીધેલ હતો. જેઓએ 15 + 5  પ્રશ્નો દરેકમાં 4 વિકલ્પ હોય છે. આ નેશનલ રૂરલ આઈ ટી.ક્વિઝ-૨૪ ની સ્પર્ધામાં 15 શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ  પસંદ થયા નિર્ણાયક તથા સહયોગ બદલ પ્રોફેસર કમ શિક્ષક રામદેભાઈ કાનાભાઈ ડાંગર (નવયુગ સંકુલ, વિરપર)ને આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. આ જીલ્લાકક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ-૨૪ માં ૧૫ વિજેતાઓ રાજ્ય કક્ષાએ ભાગ લેવા તા. ૧૪/૯ ગાંધીનગર જશે. તેવું દિપેનભાઈ ભટ્ટએ જણાવ્યુ છે.  






Latest News