મોરબીના ખાખરાળા ગામે પ્રાથમિક શાળાના 100 વર્ષ પૂર્ણ થતા ત્રિવિધ કાર્યક્રમ યોજાશે
SHARE








મોરબીના ખાખરાળા ગામે પ્રાથમિક શાળાના 100 વર્ષ પૂર્ણ થતા ત્રિવિધ કાર્યક્રમ યોજાશે
મોરબીના ખાખરાળાં ગામમાં આવેલ પ્રાથમિક શાળાના 100 વર્ષ પૂર્ણ થતા તા. 2/5 ને શુક્રવાર ના રોજ સવારે 8.00 વાગ્યે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં શતાબ્દી મહોત્સવ, ગુરુ વંદના અને સ્નેહમિલન જેવા કાર્યક્રમનું આયોજન ખાખરાળાં ગામ સમસ્ત કરવામાં આવેલ છે
આ કાર્યક્રમ માં અત્યાર સુધીમાં અભ્યાસ કરીને ગયેલા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ શાળામાં જે આચાર્ય અને શિક્ષકોએ સેવા આપી છે એ તમામના સન્માન કરવામાં આવશે. આ તકે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી (ખોખરાધામ-બેલા) તેમજ મૂળ ખાખરાળાંના અને આધ્યાત્મિક ગુરુ અને જેમના અઢળક પુસ્તકોથી આપણે સૌને આધ્યાત્મિક અને યોગનું માર્ગદર્શન મળે છે તેવા જોધપર શાંતિ નિકેતન આશ્રમના ભાણદેવજી મહારાજ, બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત સહિતના હાજર રહેશે અને આશીર્વચન આપશે. અને આ કાર્યક્રમમાં આવવાના હોય તેઓએ રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર 9898643235 અને 9879035089 ઉપર કરાવવા માટે આયોજકોએ જણાવ્યુ છે. અને આ શાળાના ભૂતપૂર્વ આચાર્ય કે શિક્ષક જો હૈયાત ન હોય તો તેમના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ આ સન્માન માટે હાજર રહી શકે છે. તેવું આયોજકોએ જણાવ્યુ છે.

