મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો મોરબીની ગજાનન પાર્ક સોસાયટીમાં રામ નવમીની શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરાઇ મોરબીમાં બે અને ટંકારામાં એક વિદેશી દારૂની રેડ: 337 બોટલ દારૂ ઝડપાયો, બે આરોપી પકડાયા-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે પ્રાથમિક શાળાના 100 વર્ષ પૂર્ણ થતા ત્રિવિધ કાર્યક્રમ યોજાશે


SHARE











મોરબીના ખાખરાળા ગામે પ્રાથમિક શાળાના 100 વર્ષ પૂર્ણ થતા ત્રિવિધ કાર્યક્રમ યોજાશે

મોરબીના ખાખરાળાં ગામમાં આવેલ પ્રાથમિક શાળાના 100 વર્ષ પૂર્ણ થતા તા. 2/5 ને શુક્રવાર ના રોજ સવારે 8.00 વાગ્યે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં શતાબ્દી મહોત્સવ, ગુરુ વંદના અને સ્નેહમિલન જેવા કાર્યક્રમનું આયોજન ખાખરાળાં ગામ સમસ્ત કરવામાં આવેલ છે

આ કાર્યક્રમ માં અત્યાર સુધીમાં અભ્યાસ કરીને ગયેલા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ શાળામાં જે આચાર્ય અને શિક્ષકોએ સેવા આપી છે એ તમામના સન્માન કરવામાં આવશે. તકે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી (ખોખરાધામ-બેલા) તેમજ મૂળ ખાખરાળાંના અને આધ્યાત્મિક ગુરુ અને જેમના અઢળક પુસ્તકોથી આપણે સૌને આધ્યાત્મિક અને યોગનું માર્ગદર્શન મળે છે તેવા જોધપર શાંતિ નિકેતન આશ્રમના ભાણદેવજી મહારાજ, બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત સહિતના હાજર રહેશે અને આશીર્વચન આપશે. અને આ કાર્યક્રમમાં આવવાના હોય તેઓએ રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર 9898643235 અને 9879035089 પર કરાવવા માટે આયોજકોએ જણાવ્યુ છે. અને આ શાળાના ભૂતપૂર્વ આચાર્ય કે શિક્ષક જો હૈયાત ન હોતો તેમના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ આ સન્માન માટે હાજર રહી શકે છે. તેવું આયોજકોએ જણાવ્યુ છે.






Latest News