મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે પ્રાથમિક શાળાના 100 વર્ષ પૂર્ણ થતા ત્રિવિધ કાર્યક્રમ યોજાશે


SHARE







મોરબીના ખાખરાળા ગામે પ્રાથમિક શાળાના 100 વર્ષ પૂર્ણ થતા ત્રિવિધ કાર્યક્રમ યોજાશે

મોરબીના ખાખરાળાં ગામમાં આવેલ પ્રાથમિક શાળાના 100 વર્ષ પૂર્ણ થતા તા. 2/5 ને શુક્રવાર ના રોજ સવારે 8.00 વાગ્યે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં શતાબ્દી મહોત્સવ, ગુરુ વંદના અને સ્નેહમિલન જેવા કાર્યક્રમનું આયોજન ખાખરાળાં ગામ સમસ્ત કરવામાં આવેલ છે

આ કાર્યક્રમ માં અત્યાર સુધીમાં અભ્યાસ કરીને ગયેલા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ શાળામાં જે આચાર્ય અને શિક્ષકોએ સેવા આપી છે એ તમામના સન્માન કરવામાં આવશે. તકે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી (ખોખરાધામ-બેલા) તેમજ મૂળ ખાખરાળાંના અને આધ્યાત્મિક ગુરુ અને જેમના અઢળક પુસ્તકોથી આપણે સૌને આધ્યાત્મિક અને યોગનું માર્ગદર્શન મળે છે તેવા જોધપર શાંતિ નિકેતન આશ્રમના ભાણદેવજી મહારાજ, બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત સહિતના હાજર રહેશે અને આશીર્વચન આપશે. અને આ કાર્યક્રમમાં આવવાના હોય તેઓએ રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર 9898643235 અને 9879035089 પર કરાવવા માટે આયોજકોએ જણાવ્યુ છે. અને આ શાળાના ભૂતપૂર્વ આચાર્ય કે શિક્ષક જો હૈયાત ન હોતો તેમના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ આ સન્માન માટે હાજર રહી શકે છે. તેવું આયોજકોએ જણાવ્યુ છે.






Latest News