ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર મોરબીના જાંબુડિયા પાસે ઝૂંપડાંમાંથી દારૂની 23 બોટલ ઝપડાઈ, આરોપીની શોધખોળ: નવગામ પાસે દેશી દારૂની ભઠ્ઠી સાથે બે શખ્સ પકડાયા મોરબી નજીક હોટલ પાસે જીવલેણ હુમલાના બનાવમાં સામાપક્ષેથી શાહરૂખે પણ ફાયરિંગ કર્યું હોવાનો ધડાકો મોરબી: પરિણીતાને ફોનમાં મેસેજ કરનાર યુવાનની છરીના ઘા ઝીંકીને કરી હત્યા, 2 સામે ફરિયાદ ભુજના માધાપર ગામે રહેતા ટ્રાન્સપોર્ટર સાથે 46.90 લાખની ઠગાઈના ગુનામાં મોરબીની આંગડિયા પેઢીનો માલિક પકડાયો મોરબીમાં જૈન પ્લોટ પૌષધ શાળા ખાતે શ્રી મુનિસુવ્રત સ્વામીના જાપ-આરાધનાનો કાર્યક્રમ યોજાયો લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ડાયાબિટીસ-બીપી ચેક અપ કેન્દ્ર ખુલ્લુ મુકાયું મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેનો બનાવ: પરિણીતાને ફોનમાં મેસેજ કરનાર યુવાનને સમાધાન માટે બોલાવી કરી નાંખી હત્યા, આરોપી સહિત 4 ને ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે દાંડીયારાસ, શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે


SHARE













મોરબીમાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે દાંડીયારાસ, શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ પરશુરામ જન્મ જયંતિની ઉજવણી કરવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવેલ છે અને આગામી તા 28 અને 29 એપ્રિલ એમ બે દિવસ જુદાજુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ જયદીપભાઈ મેહતા તથા મહામંત્રીઓ ઋષિભાઈ મેહતા, હાર્દિકભાઈ ભટ્ટ અને ધ્વનિતભાઈ દવેએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, આ વખતે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને તા 28 ના રોજ રાત્રે 9:00 કલાકે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે દાંડિયારાસ રાખવામા આવલે છે અને ત્યાર બાદ તા 29 ને મંગળવારે સાંજે 4:00 કલાકે મોરબીના વાઘપરા વિસ્તારમાં આવેલ શ્રી ગાયત્રી મંદિર ખાતે શોભાયાત્રા નિકળશે જે મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈને નવલખીર રોડે આવેલ પરશુરામ ધામ ખાતે પૂર્ણ કરવામાં આવશે. અને પરશુરામ ધામ ખાતે પરશુરામ દાદાને અન્નકૂટ પ્રસાદ ધરવામાં આવશે અને સાંજે 7:30 કલાકે ભવ્ય મહાઆરતી યોજાશે ત્યાર બાદ સાંજે 8:00 કલાકે ભૂદેવો માટે મહાપ્રસાદનું આયોજન પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું છે. જેથી આ ધાર્મિક કાર્યક્રમ અને પ્રસાદનો લાભ લેવા માટે ભૂદેવોને સહપરિવાર હાજર રહેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. 






Latest News