મોરબીની નવયુગ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓના સ્વાગતોત્સવ કાર્યક્રમમાં સાંઇરામ દવેનું પ્રેરક ઉદ્બોધન મોરબીના નાગડાવાસ પાસેનો બનાવ રીક્ષા ભેંસની સાથે અથડાતા બે લોકો સારવારમાં મોરબી નજીક કારખાના સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત મોરબી તાલુકા સેવા સદન ખાતે એજન્સીના સ્ટાફને બેસવા માટેની જગ્યા ન ફાળવતા સ્ટેમ્પ પેપર મળવાનું બંધ !: અરજદારો હેરાન મોરબી શહેર-તાલુકામાં દારૂની ત્રણ રેડ: બે મહિલા સહિત ત્રણ આરોપી 63 બોટલ દારૂ સાથે પકડાયા ટંકારાના સરાયા-હીરાપર વચ્ચે બે બોલેરો ગાડી અથડાતાં ઘૂટું ગામે રહેતા યુવાનનું મોત: બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી માટીની આડમાં દારૂની હેરાફેરી: વાંકાનેર તાલુકામાં હોટલના ગ્રાઉન્ડમાંથી 816 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર ઝડપાયું, 29.34 લાખના મુદામાલ સાથે બે પકડ્યા, બેની શોધખોળ વાંકાનેરમાં પત્રકાર ભાટી એન. ઉપર ધારાસભ્યએ હુમલો કર્યાનો આક્ષેપ: મોબાઇલમાં લીધેલ વિડીયો ડીલીટ કર્યો છે, કોઈ મારામારી કરલે નથી: જીતુભાઈ સોમાણી
Breaking news
Morbi Today

મોરબીમાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે દાંડીયારાસ, શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે


SHARE

















મોરબીમાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે દાંડીયારાસ, શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ પરશુરામ જન્મ જયંતિની ઉજવણી કરવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવેલ છે અને આગામી તા 28 અને 29 એપ્રિલ એમ બે દિવસ જુદાજુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ જયદીપભાઈ મેહતા તથા મહામંત્રીઓ ઋષિભાઈ મેહતા, હાર્દિકભાઈ ભટ્ટ અને ધ્વનિતભાઈ દવેએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, આ વખતે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને તા 28 ના રોજ રાત્રે 9:00 કલાકે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે દાંડિયારાસ રાખવામા આવલે છે અને ત્યાર બાદ તા 29 ને મંગળવારે સાંજે 4:00 કલાકે મોરબીના વાઘપરા વિસ્તારમાં આવેલ શ્રી ગાયત્રી મંદિર ખાતે શોભાયાત્રા નિકળશે જે મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈને નવલખીર રોડે આવેલ પરશુરામ ધામ ખાતે પૂર્ણ કરવામાં આવશે. અને પરશુરામ ધામ ખાતે પરશુરામ દાદાને અન્નકૂટ પ્રસાદ ધરવામાં આવશે અને સાંજે 7:30 કલાકે ભવ્ય મહાઆરતી યોજાશે ત્યાર બાદ સાંજે 8:00 કલાકે ભૂદેવો માટે મહાપ્રસાદનું આયોજન પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું છે. જેથી આ ધાર્મિક કાર્યક્રમ અને પ્રસાદનો લાભ લેવા માટે ભૂદેવોને સહપરિવાર હાજર રહેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. 




Latest News