આનંદો ! મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળોનું કરાયું આયોજન મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ આણંદમાં આવેલ અમૂલ ડેરીની અભ્યાસના ભાગરૂપે લીધી મુલાકાત મોરબીના ગ્રાહકને નિયમ મુજબ બોઇલરનું સર્ટી ન આપતા પંજાબની કંપનીને ગ્રાહક સુરક્ષા મંડળે ૨૩.૧૭ લાખ ચુકવવા આદેશ કર્યો મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમા અસંખ્ય માછલાના મોત પહેલો ઘા રાણાનો !: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં ઘટાડો થાય તે પહેલા જ નેચરલ ગેસના ભાવમાં  3.25 રૂપિયાનો ઘટાડો મોરબી જિલ્લાની વિકાસ વાટિકાનું કલેક્ટર, ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે વિમોચન કરાયું મોરબી: વાદળ છાયા વાતાવરણમાં કેટલીક બાબતોની કાળજી રાખી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિને વધુ અસરકારક બનાવીએ મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો
Breaking news
Morbi Today

ટંકારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નવી કારોબારીની રચના કરાઇ


SHARE















ટંકારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નવી કારોબારીની રચના કરાઇ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ટંકારા તાલુકા દ્વારા ગુરુ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યકમમાં જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, રાજ્યના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, કિરણભાઈ કચરોલા મંત્રી, નિરવભાઈ બાવરવા પ્રચાર મંત્રી ઉપસ્થિત રહયા હતા

આ તકે સંગઠનનો વ્યાપ વધારવા માટે અને સંગઠનને વધારે મજબૂત બનાવવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ. એક કાર્યકર્તા તરીકે આપડી શું ભૂમિકા હોવી હોઈએ અને આપડે સમાજ અને રાષ્ટ્ર માટે શું કરી શકીએ? તેની સચોટ માહિતી રાજ્યના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણીએ આપી, હતી અને ત્યાર બાદ ટંકારા તાલુકા દ્વારા આવનારા સમયમાં શિક્ષકોના પડતર પ્રશ્નોને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વાચા આપવામાં આવશે, અને સદસ્યતા અભિયાન માટેનું આયોજન કરવામાં આવ્યું હતું

ટંકારા તાલુકાની કારોબારીની નવી રચના કરવામાં આવી હતી જેમાં નવા અધ્યક્ષ તરીકે  રોહિતભાઈ ચીકાણી, મંત્રી તરીકે અભયભાઈ ઢેઢી, સંગઠન મંત્રી તરીકે સતિષભાઈ પટેલ,  સી.ઉપાધ્યક્ષ તરીકે વાત્સલ્યભાઈ મનીપરાની વરણી કરવાં આવેલ છે આવી રીતે ઉપાધ્યક્ષસહ સંગઠન મંત્રી, સહમંત્રી, કોષાધ્યક્ષ, પ્રચાર મંત્રી અને કાર્યાલય મંત્રીની વરણી કરવામાં આવી હતી. 




Latest News