મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી મોરબીમાં બાઇક સાથે બાઇક અથડાવીને ઇજા થઈ હોવાનું નાટક કરીને યુવાન પાસેથી 85 હજાર રૂપિયા પડાવી લીધા !
Breaking news
Morbi Today

વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી


SHARE













વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકોને વીજ કનેક્શનનો જે પ્રશ્ન હતો તે ઉકેલીને આજે એકી સાથે 313 જેટલા લોકોને વીજ કનેક્શન આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. અને એક જ દિવસમાં મોરબીમાં 250 જેટલા લોકોને વીજ કનેક્શન આપવામાં આવ્યો હોય તે પણ એક નવો ઇતિહાસ બની ગયો છે.

વિકાસ સપ્તાહ અંતર્ગત જુદી જુદી જગ્યા ઉપર જુદા જુદા કાર્યક્રમો યોજાય છે ત્યારે મોરબીની આસપાસમાં જે વાડી વિસ્તાર આવેલ છે જ્યાં સતવારા સમાજના લોકો વધુ પ્રમાણમાં રહેતા હોય છે તેઓને રહેણાંક મકાનના વીજ કનેક્શન લેવા માટે થઈને છેલ્લા લગભગ ત્રણેક વર્ષથી જે પ્રશ્નો હતા તે પ્રશ્નો ઉકેલવા માટે થઈને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી હતી અને સરકારમાંથી સ્પેશિયલ મંજૂરી મેળવીને વિકાસ સપ્તાહ અંતર્ગત હાલમાં વન ઓવર વન કનેક્શન જે અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત આજે પીજીવીસીએલના એમડી કેતનભાઇ જોષી મોરબી હાજર રહ્યા હતા તે ઉપરાંત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના અગ્રણીઓ ત્યાં હાજર રહ્યા હતા અને એકી સાથે મોરબીની જુદી જુદી વાડી વિસ્તારની અંદર રહેતા 313 જેટલા લોકોને વીજ કનેક્શન આપવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી અને મોરબીમાં એક જ દિવસમાં વાડી વિસ્તારની અંદર રહેતા 250 જેટલા લોકોને વીજ કનેક્શન આપવામાં આવ્યા છે અને બાકીના લોકોને પણ વહેલી તકે વીજ કનેક્શન મળી જશે તેવી વીજ કંપનીના અધિકારીઓએ ખાતરી આપેલ છે આ વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાતા સતવારા સમાજની અંદર પણ હર્ષની લાગણી જોવા મળી હતી




Latest News